જે વ્યક્તિ એક સમયે દેશભક્તિના પ્રતાપે અક્ષરોની નદી વહાવી દીધી હતી….જે વ્યક્તિ એવો દાવો કરતી હતી કે એ ભગવાન રામની ભક્તિમાં તલ્લીન રહે છે એ આજે સખત અને સતત ભગવાન રામનું અપમાન કરી રહ્યો છે. કાં તો એ મનોજ મુન્તાશીર ન હતો કાં તો અત્યારે ગોટાળે ચડ્યો છે એ મનોજ મુન્તાશીર અલગ છે. કઈ હકીકત સ્વીકારવી જોઈએ ? સ્ટેજ પર હૃદયથી દેશભક્તિ અને હિન્દૂત્વની વાત કરતો વ્યક્તિ ભગવાન હનુમાન કે લિયે જલેગી તેરે બાપ કી જેવા સાવ હલ્કા સંવાદો કેવી રીતે લખી શકે? કંઈક તો ગરબડ છે.
બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય એ રીતે મનોજને આ તીક્ષ્ણ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે અચકાયા વગર એવું કહી માર્યું કે આ સંવાદો જાણીજોઈને લખવામાં આવ્યા છે. તેનું નિવેદન રોષની સાથે સાથે હાસ્યાસ્પદ પણ લાગે છે. સાથે જ આમ કરવા પાછળનો તર્ક સમજાવતા તેઓ કહે છે કે આજની પેઢી પોતાની જાતને જોડી શકે છે તેથી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, અન્ય જગ્યાએ, તેઓ કહે છે કે કેટલાક લોકોને થિયેટરોમાં જય શ્રી રામના નારા ગુંજવા સામે વાંધો છે, તેથી વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ચાલો તમારા આ તર્કને એક ક્ષણ માટે પણ સ્વીકારી લઈએ તો તમારા એ નિવેદનનું શું? જેમાં તમે હનુમાનજીને ભગવાન તરીકે સ્વીકારવાની ના પાડી દીધી હતી. તમને એ કહેવામાં સહેજે સંકોચ જ ન થયો કે હનુમાનજી ભગવાન નથી, પરંતુ ભક્ત હતા.
હનુમાનજી વિશે મનોજ મુન્તાશીરે શું કહ્યું તે સાંભળો
આદિપુરુષ સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે મનોજે જાતે જ પોતાના જીવને જોખમ ઊભું કર્યું અને હવે પોલીસે સુરક્ષા પુરી પાડી છે. મનોજ મુન્તશીરના આવા જ બફાટ ચાલુ રહ્યા તો રામ જાણે એ વ્યક્તિએ ક્યાં ખોવાઈ જવા દિવસો આવશે.