હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાની તિથિએ થાય છે. હોળીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે.આ વર્ષે હોલિકા દહન 17 માર્ચે અને 18 માર્ચે રંગો સાથે ધુળેટીની ઉજવણી થશે. હોલિકા દહન આસપાસની નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે. હોળીના ખાસ અવસર પર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ મેળવવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને કારણે હોળીનો તહેવાર ખાસ રહેવાનો છે. આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. હોળીના દિવસે અમૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ રચાશે. આ સાથે ગુરુ અને આદિત્ય યોગ પણ બની રહ્યા છે. આદિત્ય યોગમાં હોળીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
- જો ઘરમાં ઝઘડા કંકાસ થતા હોય અને તમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગતા હોવ તો હોલિકાની ભસ્મની પોટલી રાખવું જોઈએ. આ પછી શુભ મુહૂર્તમાં ઘરના અલગ-અલગ ભાગમાં ઘર છાંટી દો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.
- જો ઘરના કોઈ સદસ્ય કે બાળક પર મેલી નજર આવી જાય અથવા કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહે તો તેના માટે હોલિકાની ભસ્મને કપડામાં બાંધીને વ્યક્તિના માથાને સાત વાર ફેરવો અને પછી તેને માટીમાં દાટી દો.
- આર્થિક સંકટ દૂર કરવા હોલિકાની ભસ્મને લાલ કપડામાં બાંધો. આ પછી, તેને કોઈ તિજોરીમાં અથવા પૈસાવાળી જગ્યાએ રાખો. તમે તેને તમારા નાના પર્સમાં પણ રાખી શકો છો. કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તિલક કરવાથી કાર્યમાં સફળતા મળે છે. અધૂરા કામ પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.