આજે 26/11 હુમલાની વરસી છે. વર્ષ 2008, તારીખ 26મી નવેમ્બર, આ એ કાળો દિવસ છે, જ્યારે મુંબઈની છાતી ગોળીઓથી છલોછલ હતી. 10 આતંકવાદીઓએ મુંબઈને નિશાન બનાવ્યું હતું. સ્ટેશન, હોટલ, કાફે, હોસ્પિટલ, એવી કોઈ જગ્યા બચી નથી જ્યાં આતંકવાદીઓએ લોહીની હોળી ન રમી હોય. સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા. અહેવાલો અનુસાર, તે આતંકવાદી હુમલામાં 174 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આજે પણ જ્યારે દેશ આ ઘટનાને યાદ કરે છે તો દરેકનો આત્મા કંપી ઉઠે છે.
આ હુમલા બાદ બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની, જેના દ્વારા તે કાળો દિવસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પૈકીની એક ફિલ્મ છે, ‘હોટેલ મુંબઈ’. આમાં અનુપમ ખેરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક વાતચીત દરમિયાન અનુપમ ખેરે કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવું તેના માટે બિલકુલ સરળ ન હતું.
તમને જણાવી દઈએ કે ભયાનક આતંકવાદી હુમલા પર આધારિત ‘હોટેલ મુંબઈ’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અનુપમ ખેરે કહ્યું હતું કે આ ફિલ્મનો ભાગ બનવું તેમના માટે આસાન ન હતું. અનેક કિસ્સાઓ એવા હતા જેમાં અભિનય જ નહીં આત્મસાત્ થઈ જતાં હું ભાવુક થઈ જતો હતો.ફિલ્મમાં અનુપમ ખેરે તાજ હોટલના મુખ્ય રસોઇયા હેમંત ઓબેરોયની ભૂમિકા ભજવી હતી, જેણે ખુબ નજીકથી અનેક લોકોની પીડા અનુભવી હતી. તેણે રાત્રે તાજ હોટેલમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.