સમગ્ર રાજયમાં કોરોનાના કેસમાં સામાન્ય પરંતુ સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજય સરકારે સુરત સહિત તમામ મહાનગરોના આરોગ્ય તંત્રોને આ બાબતે એલર્ટ કર્યા છે. સુરત મનપાનું આરોગ્ય ખાતું ફરી એકવખત દોડતું કરવામાં આવ્યું છે.
સુરતમાં કોરોનાના કેસ સામાન્ય કરતાં પણ ઓછા છે પરંતુ જે રીતે દેશના અન્ય વિસ્તારોમાં અને અમદાવાદમાં પણ કેસો વધી રહ્યા છે એ જોતાં ખાસ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં લોકો પર સુરતમાં ખાસ નજર રાખવા આજે સુચના જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગમચેતીના ભાગરૂપે, વલસાડ જિલ્લા કલેકટર કચેરીમાં માસ્ક ફરજીયાત પહેરવાનો આદેશ કરાયો છે.જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના આદેશથી અહીં માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે.
અગમચેતીના ભાગરૂપે અન્ય શહેરોમાં પણ જાહેર સ્થળો પર ફરી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અમદાવાદની સ્થિતિ જોતાં રાજય સરકારે અહીં ટેસ્ટીંગ બુથ શરૂ કરવાની સૂચના આપી દેતાં આજથી બુથ એકટીવ પણ થઇ ગયા છે.
રાજયમાં વધેલા કેસથી સુરતીઓની ચિંતા પણ ચોક્કસપણે વધારી છે. સુરતમાં હવેથી 2000 જેટલા ટેસ્ટ કરવામાં આવી શકે છે એવું આરોગ્ય તંત્ર તરફથી જાણવા મળી રહ્યું છે.