ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીન અને પાકિસ્તાનના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ કર્યો છે. દુનિયા સામે આ બંને બદમાશોની પોલ ખોલી નાખી છે. હકીકતમાં, ચીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધ ઊભો કર્યો હતો. આ હરકતોથી લાલઘુમ થયેલા ભારતે બંનેની બદમાશીને જાહેરમાં ઉજાગર કરી UNમાં પાકિસ્તાની આતંકવાદી મીરની ઓડિયો ક્લિપ સંભળાવી છે.