અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય અને યાત્રાની શ્રદ્ધાળુંઓ ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી છે કે વર્ષ 2024માં મકરસંક્રાંતિના દિવસે મંદિર તૈયાર થઈ શકે છે. રાજધાની દિલ્હીમાં અયોધ્યા ઉત્સવ કાર્યક્રમ દરમિયાન રાયે આ જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું, ‘જોકે, મેં પહેલા કહ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન 2023ના અંતમાં થશે. તેની તારીખ પર કોઈ અંતિમ મહોર લાગી નથી, કારણ કે સૂર્ય દક્ષિણાયનમાં છે. તેથી અમે મકરસંક્રાંતિ પર મંદિરનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ, જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરશે. આ એક શુભ મૂહર્ત છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ, 14 જાન્યુઆરી પહેલાનો દિવસ એ પાછલા વર્ષનો છેલ્લો દિવસ છે.
રાયે એમ પણ કહ્યું કે તે તે દિવસ હશે જ્યારે ભગવાન રામ તેમના મૂળ સ્થાને બેસશે. નિર્માણ કાર્ય અંગે રાયે કહ્યું કે ભગવાન રામના બેસવા માટે 6 ફૂટ ઉંચું ગ્રેનાઈટનું આસન તૈયાર કરવામાં આવ્યું છે. “અમે આશા રાખીએ છીએ કે આ વર્ષે ઓગસ્ટમાં પાયો અને પ્લીન્થનું કામ પૂર્ણ થયા પછી મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે,” તેમણે કહ્યું કે, પથ્થરો કોતરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
રાજઘાટ સ્થિત ગાંધી સ્મૃતિ અને દર્શનના પરિસરમાં આયોજિત આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં શનિવારે સવારે શ્રી રામ ચરિત માનસના એકાધિકારિક પાઠ શરૂ થયા છે. બપોરે, સાંસદ રમેશ વિધુરીએ અયોધ્યા પર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં રાજ્ય મંત્રી, સતીશ શર્માએ અવધિ ભોજનની સીતા રસોઈ અને અવધી હાટનું ઉદ્ઘાટન કર્યું. મુખ્ય સમારોહમાં મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હતા, જ્યારે વિશેષ અતિથિઓમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ કમલનયન દાસ, મણિ રામ દાસ છાવણીના અનુગામી, મહાસચિવ ચંપત રાય અને વરિષ્ઠ પત્રકાર જવાહરલાલ કૌલ હતા.