અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આતંકી ભય તેમજ સંવેદનશીલ વાતાવરણ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોવાથી સુરક્ષા પ્રબંધમાં કોઈ કચાશ ન રહે એ જોવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી.
રાજ્યમાં રથયાત્રા સંદર્ભની તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું હતું. બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એ. ટી.એસ., આઇ.બી. સહિત તમામ એજન્સીના અધિકારીઓની હાજરી હતી.
રથયાત્રાદરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃહરાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે.