નવરાત્રિને કોમર્શિયલ રૂપ આપવાના પરિણામો સમાજ ઘણા સમયથી દુર્ભાગ્યપૂર્ણ રીતે ભોગવી રહ્યું છે. નવરાત્રિને ઘણો સમય બાકી છે પરંતુ નવા સ્ટેપ શીખવાના નામ પર તેનું કોમર્શિયલાઈઝેશન મહિનાઓ સુધી યુવાધનને તેમાં રોકી રાખે છે. આવી સ્વચ્છંદી પ્રવૃત્તિઓનો ફાયદો ગરબા ક્લાસમાં ઊઠાવાતો હોવાના અનેક કિસ્સાઓ ઘણા સમયથી ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરામાં ઝળકી ચૂક્યા છે પરંતુ તેઓ પર કોઈ લગામ નથી જેનો ફાયદો અમુક તત્વો હજી ઉઠાવતાં નથી અચકાઈ રહ્યા. અગાઉ કિસ્સાઓ પરથી બોધપાઠ લેવાને બદલે સુરતના અડાજણ વિસ્તારમાં પનઘટ ગરબા ક્લાસીસમાં વિધર્મી યુવકને કોચિંગ માટે રાખવામાં આવ્યો હતો. કેટલીક ફરિયાદો મળતા બજરંગ દળના કાર્યકરોએ ક્લાસ પર જઈને હંગામો મચાવતાં ક્લાસના સંચાલકો પાસે માફી મંગાવી છે.
અડાજણ સ્નેહ સંકુલની વાડી આનંદ મહલ રોડ ખાતે પનઘટ નામથી ગરબા ક્લાસ ચલાવતાં અનિલ જરીવાળાએ પોતાના ગરબા ક્લાસમાં એક વિધર્મીને નોકરી પર રાખ્યો હતો. અનિક જરીવાળાએ પોતે જાણતો હોવા છતાંય તેની ઓળખ ક્લાસમાં આવતી યુવતીઓને હિન્દુ તરીકે આપી હતી. દાંડિયા રાસ શીખવાડવા રાખવામાં આવેલા યુવકે ક્લાસમાં પોત પ્રકાશવા લાગતાં ધ્યાનમાં આવ્યું હતું કે તે પોતાની અસલી ઓળખ છૂપાવી રહ્યો છે. ઘટનાની જાણ બજરંગદળને કરવામાં આવી હતી. બજરંગદળના કાર્યકરોએ વાત વેરિફાય કરતાં એમાં તથ્ય જણાઈ આવ્યું હતું. 50 જેટલા બજરંગદળના કાર્યકરો એ ગરબા ક્લાસમાં પહોંચી ગયા હતા અને હંગામા સાથે ભારે વિરોધ કર્યો હતો. બજરંગદળના વિરોધ બાદ ગરબા ક્લાસીસના આયોજકોએ માફી માંગી હતી. વામાં આવી હતી. ફરીથી કોઈ વિધર્મીને આ કામમાં ન રાખવાની ખાતરી લીધા બાદ મામલો થાળે પડ્યો હતો. બજરંગદળના હોદ્દેદારોએ યુવતીઓને ગરબા ક્લાસના નામે થતાં લવ જેહાદ સહિતના કાવતરાંઓથી વાકેફ કરી હતી.
ગીતાજલી ઇટાલિયાએ જણાવ્યું હતું કે નવરાત્રી એ માતાજીની આરાધનાનો નવ દિવસીય ઉત્સવ છે. હિન્દુઓ માટે એ સર્વોચ્ચ શ્રદ્ધાનો વિષય છે જેના નામ પર કોઈ એવા કૃત્યો ચલાવી લેવામાં નહીં આવશે. આ ઉત્સવમાં કોઈ વિધર્મીને ચલાવી નહિ લેવાશે. તેઓ દરેક ગરબા કલાસ ઉપર નજર રાખશે. ગરબા આયોજન સ્થળ પર પણ બજરંગ દળનાં કાર્યકર્તાઓ નજર રાખશે.અને નવરાત્રિનાં આયોજનમાં કોઈ વિધર્મીને પ્રવેશ નહિ અપાશે તેમજ ગરબા સ્પર્ધામાં પણ કોઈ વિધર્મી હશે તો તેના આયોજક સામે પગલાં ભરાશે.