જુલાઇ મહિનામાં ગુરૂ ગ્રહ વક્રી થવા જઇ રહ્યો છે, આવી સ્થિતિમાં ગુરુ 119 દિવસ સુધી વક્રી રહેશે. ગુરુ નવેમ્બર સુધી વક્રી થશે. પોતાની રાશિમાં રહેવાથી ગુરુ વિરુદ્ધ દિશામાં આગળ વધશે. ગુરૂ ગ્રહના વક્રી થવાના કારણે આ રાશિઓ પર શું અસર પડશે. ગુરુ 29મી જુલાઈના રોજ વક્રી થશે અને 24મી નવેમ્બર 2022ના રોજ વિરુદ્ધ દિશામાં ફરીને તેની સ્થિતિમાં પાછો આવશે.
આ પહેલા ઓક્ટોબરમાં ગુરુ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે પણ બૃહસ્પતિ પૂર્વવર્તી થાય છે ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે. ગુરુને ધન, સંપત્તિ, સંતાન અને શિક્ષણનો કારક માનવામાં આવે છે. જેમની કુંડળીમાં ગુરુ બળવાન હોય છે, તેમને ધન, સમૃદ્ધિ, સંતાન સુખ અને શિક્ષણ પ્રાપ્ત થાય છે. બૃહસ્પતિ વક્રી હોય તો પણ કેટલીક રાશિના લોકોને ઘણું બધું આપશે.
મેષ, કર્ક, તુલા અને મકર રાશિ માટે ગુરૂ ગ્રહની વક્રી સ્થિતિ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ લોકો જે પણ કામ કરશે તેમાં સફળતા પ્રાપ્ત કરશે. મિથુન, કન્યા, ધન અને મીન રાશિ માટે પણ સમય ખૂબ જ સારો રહેશે. વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ રાશિ માટે થોડો સમય મુશ્કેલી ઉભી કરશે. આ રાશિના લોકો પર બહુ ઓછી અસર જોવા મળશે, પરંતુ તેમની જીવનશૈલીમાં કેટલાક બદલાવ આવશે. કુલ મળીને 119 દિવસ આ રાશિના લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે. દરમિયાન ઓક્ટોબરમાં ગુરુ ફરીથી મીન રાશિમાં આવશે. ગુરુ બે તબક્કામાં મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. પહેલા એપ્રિલમાં અને પછી ઓક્ટોબરમાં. આ દરમિયાન બે વાર વક્રી અને ફરી સીધી ચાલ ચાલશે.