કેન્દ્ર સરકારે રેલવેમાં મુસાફરી કરનારાઓને મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. એસી ચેર કાર, વંદે ભારત એક્સપ્રેસ સહિત તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કરવાની રેલવે મંત્રાલય તરફથી જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે રેલવેના ભાડામાં ઘટાડો થાય તેવી શક્યતા ઘણા દિવસોથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભારતીય રેલવે તંત્ર વંદે ભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરી રહી હતી, જેથી ખર્ચમાં ઘટાડો કરી શકાય. આ નિર્ણયનો લાભ સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિકને મળશે તેવી શક્યતા પશ્ચિમ રેલવે અધિકારી સુત્રોએ વ્યક્ત કરી છે.
રેલવે બોર્ડે લાંબી ચર્ચાવિચારણા બાદ તેના એક આદેશમાં વંદે ભારતનું ભાડું ઘટાડવાનું નક્કી કર્યું છે. વિશેષતઃ આ આદેશમાં રેલવેના તે ઝોનને પણ ટ્રેનનું ભાડું ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકાથી વધુ બેઠકો ખાલી રહી હતી.
રેલવે ભાડાની સમીક્ષા કરી રહી છે. આ પ્રોસેસ શરૂ પણ થઈ ચૂકી છે. ચર્ચા થઈ હતી. ગુજરાતની વાત કરીએ તો હાલ જ્યાં ધાર્યો ટ્રાફિક નથી મળી રહ્યો એવા સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના એવા લાંબા અંતરના રૂટ પર ટિકિટ ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે જ્યાં ટ્રેનોમાં ઘણીખરી સીટો ખાલી ચાલી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અગાઉ રેલવે સુવિધા વધારવા અને લોકોને રાહત મળે એ માટે રેલવે તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યું હતું.