સુરતના પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.કોલાદરાએ જણાવ્યા અનુસાર સુરત સિવિલ કોર્ટના ૧૪માં એડિ.સિની.સિવિલ જજ તથા એ.સી.જે.એમ, સુરત એ.પી.રણધીરે જાહેરનામાઓ દ્વારા વિવિધ ગુનાઓ હેઠળ નાસતા ફરતા પાંચ આરોપીઓને તા.૦૫/૦૮/૨૦૨૩ના રોજ (અથવા જાહેરનામાની પ્રસિધ્ધિ તારીખથી એક મહિનાની અંદર) કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યુ છે.
જાહેરનામા અનુસાર (૧) લાલો ઉર્ફે ભરત પ્રફુલભાઈ ગોકુળભાઈ નિર્મળ (રહે, જમાદારની મિલ પાસે, અમરનાગર રોડ, તા.જેતપુર જિ. રાજકોટ) (૨) ટુકના વિશ્વનાથ પ્રધાન (રહે, કમલ ગામ, તા.કવીસુજુની નગર, જિ.ગંજામ, ઓરિસ્સા), (૩) જાવેદખાન નાસિર ખાન પઠાણ (રહે, નવસારી બજાર, ફોકટનગર, આલમ બંગાલની વખારની સામે, પહેલા માળે, સલાબતપુરા, સુરત) (૪) પપ્પુ મહેશભાઈ બૈઠા (રહે, મોતીહારી થાના, પીપળા કોઠી, જીવધારા, જિ.ગોરખપુર-બિહાર) (૫) સુનિતા દેવી નિરજહોરો રાણા (રહે, મોતીલેદા, થાના-બેગાબાદ, જિ.ગિરતીડ, ઝારખંડ) આ આરોપીઓ વિરુદ્ધ પૂણા પોલિસ સ્ટેશનમાં શિક્ષાપાત્ર ગુનો નોંધાયો છે.
આ આરોપીઓનો ધરપકડ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હોવા છતા તેઓ કોર્ટ સમક્ષ હાજર થયા નથી અને ધરપકડ ટાળવા નાસતા ફરે છે. જેથી આ પાંચેય આરોપીઓને સિવિલ કોર્ટના ૧૪માં એડિ.સિની.સિવિલ જજ તથા એ.સી.જે.એમ, સુરત સમક્ષ તા.૫/૮/૨૦૨૩ અથવા જાહેરનામાની પ્રસિધ્ધ થયાના એક મહિના અંદર હાજર થવા ફરમાન કરાયું છે.