ફિલ્મ લેખક અને વિવેચક જય પ્રકાશ ચૌકસેનું બુધવારે ઇન્દોરમાં હાર્ટ એટેકના કારણે 82 વર્ષની વયે અવસાન થયું. તેઓ ફેફસાના કેન્સર સામે લડી રહ્યા હતા. ચોકસેના પુત્ર રાજુ ચોકસેએ આ માહિતી આપી હતી. તેણે કહ્યું, ‘ઘરે આરામ કરી રહેલા મારા પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો. તેઓ બેભાન થઈ ગયા હતા, ત્યારે મારી ડૉક્ટર પત્નીએ તેને તપાસ્યા, તો ખબર પડી કે તેમનું મૃત્યુ થઈ ગયું છે.
રાજુ ચોકસેએ જણાવ્યું કે તેમના પિતા સાત વર્ષથી ફેફસાના કેન્સરથી પીડિત હતા અને છેલ્લા ત્રણ મહિનાથી તેમની તબિયત બગડી રહી હતી. જયપ્રકાશ ચૌકસેએ ‘શાયદ’ (1979), ‘કતલ’ (1986) અને ‘બોડીગાર્ડ’ (2011) જેવી હિન્દી ફિલ્મો માટે પટકથા અને સંવાદો લખ્યા હતા. તેમણે મહાભારત પર આધારિત ટીવી સિરિયલના લેખન વિભાગના વડા તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
નાદુરસ્ત તબિયત સામે ઝઝૂમી રહેલા ફિલ્મ વિવેચકે તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલાં છેલ્લો હપ્તો લખીને આ કૉલમનો અંત આણ્યો હતો. તમને જણાવી દઈએ કે ચોકસે ફિલ્મ વિતરકોની સંસ્થા સેન્ટ્રલ સર્કિટ સિને એસોસિએશનના પ્રમુખ પણ હતા.
દરમિયાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે, ચોકસેના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું, “હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર લગભગ ત્રણ દાયકાઓથી લખનારા વરિષ્ઠ પત્રકાર જયપ્રકાશ ચૌકસેજીના નિધન વિશે જાણીને દુઃખ થયું. મુખ્યમંત્રીએ ટ્વીટર પર વધુમાં લખ્યું કે, ‘મૃતકના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને હું નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તમારી રચનાઓ સાથે, તમે (ચોકસે) હંમેશા અમારી સાથે રહેશો.