ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઇને કાશ્મીરના ઇતિહાસની સચોટ ઝલક જોવા મળે છે. એ ઉપરાંત મુખ્ય વિષયમાં કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તેનું પણ હ્રદયસ્પર્શી ચિત્રણ ફિલ્મમાં જોવા મળે છે.
હરિયાણા અને મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને કરમુક્ત ફિલ્મ જાહેર કરી છે.
990 પહેલા કાશ્મીર કેવું હતું તે બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને ધમકી અને અત્યાચાર ગુજારી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની ધ્રુજારીપૂર્ણ રજૂઆત ફિલ્મમાં જોવા મળે છે.
અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા દિગ્ગજ અને અનુભવી કલાકારોએ ફિલ્મને ન્યાય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ટીમ ગઈકાલે જ વડાપ્રધાન મોદીને મળી હતી. વડાપ્રધાન મોદીએ આ ફિલ્મને વખાણી હતી.