અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ પડોશી દેશમાં હત્યા થવા સુધીની ચર્ચા છે. જિયો ન્યૂઝના લાઈવ ડિબેટ શોમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાકે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરની હાલત પૂર્વ કોચ બોબ વૂલ્મર જેવી થઈ શકે છે. અબ્દુલ રઝાકે ભારતના હાથે પાકિસ્તાનની હારના કારણો અંગેની ચર્ચામાં કહ્યું કે પછી પાકિસ્તાની કોચની હાલત બોબ વુલ્મર જેવી થશે. બોબ વુલ્મરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. વર્ષ 2007માં પાકિસ્તાન લીગ મેચો હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું. તે પછી જ બોબ વુલ્મર મૃત હાલતમાં મળી આવ્યા હતા. બોબ વુલ્મરની હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. લાઈવ ટીવી ડિબેટમાં અબ્દુલ રઝાકે જે કહ્યું તેના પરથી એ લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં વર્તમાન કોચ મિકી આર્થરનો જીવ જોખમમાં છે.
ક્રિકેટમાં પાકિસ્તાન અને ભારતને કટ્ટર હરીફ ગણવામાં આવે છે. વર્લ્ડ કપની મેચોની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને સતત 8મી વખત હરાવ્યું છે. વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય પાકિસ્તાન મેચ જીતી શક્યું નથી. અમદાવાદમાં પણ સમગ્ર પાકિસ્તાની ટીમ 191 રન પર પેવેલિયન પરત ફરી હતી. જે બાદ રોહિત શર્માના 86 રન અને શ્રેયસ અય્યરના અણનમ 53 રનની મદદથી ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને મોટી જીત નોંધાવી હતી. આ હારના કારણો શોધવા સમયે અબ્દુલ રઝાકે જે આ શબ્દો ઉચ્ચાર્યા તેનાથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનીઓ ભારતના હાથે આ હારને પચાવી શક્યા નથી. તંદુરસ્ત કારણો શોધવાને બદલે તેઓ કોચ મિકી આર્થરને આ હાર માટે વધુ જવાબદાર ગણાવી રહ્યા છે.
અબ્દુલ રઝાકનું નિવેદન કે મિકી આર્થરની સ્થિતિ બોબ વૂલ્મર જેવી જ હતી, તે પણ સ્પષ્ટ કરે છે કે વૂલ્મરના મૃત્યુને સામાન્ય ગણી શકાય નહીં. જોકે, પાકિસ્તાનમાં કથળેલા કાયદો અને વ્યવસ્થાને જોતા બોબ વૂલ્મરના મૃત્યુનું કારણ ક્યારેય બહાર આવે એ શક્ય નથી લાગતું. હવે એ જ કથળેલા સંજોગોની આગળ વધતી કડીમાં પાકિસ્તાન ખાતે મિકી આર્થરના જીવને ગંભીર ખતરો જણાય છે.