ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈજાને કારણે NCAમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. જાડેજા તેના શાનદાર પ્રદર્શનને કારણે દરરોજ સમાચારોમાં રહે છે, પરંતુ આ વખતે જાડેજા અચાનક જ તેની એક પારિવારિક બાબતને કારણે સમાચારમાં આવી ગયા છે. પિતાનો એક ઇન્ટરવ્યુ વાયરલ થવા લાગ્યો ત્યારે જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મોટો ખુલાસો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ હાલમાં જ એક મીડિયા હાઉસને ઈન્ટરવ્યુ આપતાં રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની વિશે ઘણી વાતો કહી હતી.આવી સ્થિતિમાં હવે ખુદ જાડેજાએ સોશિયલ મીડિયા પર ખુલાસો કરીને સમગ્ર સત્ય જણાવ્યું છે.
મીડિયામાં શું સમાચાર ચાલી રહ્યા છે?
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેના પિતા કહી રહ્યા છે કે હવે મારા પુત્ર સાથે કોઈ સંબંધ નથી. જ્યારથી તેણે લગ્ન કર્યા છે ત્યારથી તે સાવ બદલાઈ ગયો છે. જો મેં તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત, કમ સે કમ મારો દીકરો મારી સાથે તો રહેત.અત્યારે તેની પત્નીના કારણે અમને ભૂલી ગયો છે.તેમના પિતાએ તે પણ કહ્યું કે હાલમાં હું એકલો રહું ચુ.અહીંયા મને કોઈ જોવા માટે પણ આવતું નથી.આ બધું મારા દીકરાના લગ્ન થયા બાદ થયું છે.અગલમાં જણાવ્યું હતું કે,મારી દીકરી એટલે કે નયનાબા જાડેજા દરેક રક્ષાબંધનમાં રડે છે.તેમજ છેલ્લા પાંચ વર્ષથી અમે મારી પૌત્રીનું પણ મોઢું નથી જોયું.મેં પેટે પાટા બાંધીને મારા દીકરાને એક સારા લેવલએ પહોંચાડ્યો છે પરંતુ હવે તે મને જ ભૂલી ગયો છે તેવું કહી પિતાએ પોતાની હૈયા વરાળ એક ઇન્ટરવ્યૂમાં ઠાલવી હતી.
જાડેજાએ શું લખ્યું?
પિતાનો ઈન્ટરવ્યુ વાઈરલ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની માતૃભાષામાં લખ્યું છે કે ઈન્ટરવ્યુમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ પાયાવિહોણી છે અને તેને એકતરફી રજૂ કરવામાં આવી રહી છે. તેણે આરોપોને નકારી કાઢ્યા અને એમ પણ કહ્યું કે તેની પત્નીની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રવીન્દ્ર જાડેજાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ પણ જાહેરમાં બોલવા માંગતા નથી છતાં તેમની પાસે પણ ઘણું બધું કહેવાનું છે. આ પોસ્ટની સાથે તેણે આ ઈન્ટરવ્યુને સ્ક્રિપ્ટેડ પણ ગણાવ્યો છે.
જાડેજા ઈજાથી પરેશાન છે
રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ઈજાના કારણે ખૂબ જ પરેશાન છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ તેને ઈજા થઈ હતી જેના કારણે તે બીજી મેચમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાની કારકિર્દીની વાત કરીએ તો તેણે 08 ફેબ્રુઆરી 2024ના રોજ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કર્યા છે. તેના પિતાનો આ ઈન્ટરવ્યુ તેણે 15 વર્ષ પૂરા કર્યા પછી જ સામે આવ્યો છે. જાડેજાએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની પત્ની વિશે વાત કરીએ તો, તેઓ હાલમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેણી 8 ડિસેમ્બર 2022 ના રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ હતી.