દાહોદમાં ખોદકામ કરતી વખતે ભગવાન ક્રૃષ્ણની મૂર્તિ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા આ પ્રકટ મૂર્તિના દર્શનાર્થે ઉમટી આવ્યા હતા. મંદિરને હાલ નજીકના એક મંદિરમાં મુકવામાં આવી છે.
દાહોદના એમજી રોડ પર ખોદકામ ચાલી રહ્યું છે. મજૂરો ખોદકામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક અહીંથી ભગવાન શ્રીકૃષ્ણની નયનરમ્ય મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ આશરે હજારથી વધુ વર્ષ પૌરાણિક હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ દાહોદમાં મૂર્તિના દર્શન માટે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. લોકોએ હાલ આ મૂર્તિને નજીકના એક મંદિરમાં મુકી છે.