શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુર અને અમદાવાદ અને ભારતીય જૈન સંગઠન સુરતના સંયુક્ત ઉપક્રમે અને નેહા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2022 ના રોજ સવારે 10 કલાકે ભગવાન મહાવીર યુનિવર્સિટી, વી.આઈ.પી. રોડ.સભાગૃહમાં મેગા દિવ્યાંગ સહાય અને સાધન સામગ્રી વિતરણ કેમ્પનો ઉદઘાટન સમારોહ યોજાશે.
શિબિર અંગે માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ પ્રો.ડો.સંજય જૈને જણાવ્યું હતું કે કેમ્પમાં શ્રવણ યંત્ર, દિવ્યાંગ વ્યક્તિ ઓ ને ટ્રાયસિકલ, વ્હીલ ચેર, વૈશાખી સાધનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સંસ્થાના સચિવ સંજય જૈન ચાવતે જણાવ્યું હતું કે ઉદ્ઘાટનમાં રાષ્ટ્રીય સંત શ્રી ચંદ્રાનાન સૂરીશ્વરજી મહારાજનું સાનિધ્ય મળશે અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના બેન જરદોશ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. મેયર હેમાલીબેન બોઘાવાલા, ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ, વિકલાંગ કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષ કનુભાઈ ટેલર, રેલવેના પીસીએ સભ્ય છોટુભાઈ પાટીલ, શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ગૌતમ જૈન અને વાઇસ ચેરમેન શ્રી લલિત એમ. જૈન, BJS કાઉન્સેલર પ્રદીપ સિંઘી અને મહેન્દ્ર ગાંગ, નેહા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના લલિત બોહરા, ઉદ્યોગપતિ કુંજ પંસારી, સામાજિક કાર્યકર કૈલાશ હકીમ, ગુજરાત બીજેએસ પ્રમુખ રાજેશ સુરાણા વગેરે ઉપસ્થિત રહેશે.
પ્રોજેક્ટ ઈન્ચાર્જ કૈલાશ ઝાબકના જણાવ્યા મુજબ, આ દિવ્યાંગ સહાય શિબિરમાં આશરે 700 જરૂરિયાતમંદ દિવ્યાંગોને લાભ મળશે.