ચારેતરફ ઠલાવાતાં જ્યોતિષીય કાર્યક્રમોમાં શનિને કાળી વસ્તુઓનો વધુ પ્રભાવ માનવામાં આવે છે. જ્યોતિષના ગુરુઓ ‘શનિ’ની અસરથી બચવા કાળા કૂતરાને ખવડાવવાની સલાહ આપે છે. એ જ કારણ છે કે, કાળા રંગના કુતરાઓની માંગ વધી છે. સુરતમાં તાજેતરના મહિનાઓમાં કાળા કુતરાઓની સંખ્યામાં વધારો થયો છે.
“સુરતમાં તાજેતરના મહિનાઓમાં ડાઘ વગરના કાળા કૂતરાઓની માંગ અનેકગણી વધી છે.” આ વ્યવસાય સાથે સંકળાયેલા દિપકે કહ્યું, એ હવે ફક્ત કાળા કૂતરા વેચીને મહિને રૂ. 10,000 થી રૂ. 20,000 કમાય છે. તેનું વધુમાં કહેવું છે કે, “કોઈપણ ડાઘ વિનાના કાળા કૂતરા અત્યંત દુર્લભ છે, પરંતુ સુરત ખાતે હાલ લોકોમાં તેની ડિમાન્ડ હોવાથી અમારે માંગ પૂરી કરવી પડશે.”
આ સંજોગોમાં લોકો સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ પણ રસપ્રદ રીતે બહાર આવી રહ્યા છે. કોટ વિસ્તારનો રાજુ નામના એક યુવકની પોલ ખુલી પડી અને તેને પોલીસમાં તો ન સોંપાયો પણ લોકોએ બરાબરનો મેથીપાક જરૂર આપ્યો હતો. વાત એમ હતી કે, આશરે 30 વર્ષનો આ યુવક, સારી જાતિના ગલુડિયાઓની ચોરી કરી તેને કાળો રંગ આપે છે. જાણકારોનું માનીએ તો, “વંશાવલિ શ્વાન જે કાળા હોય છે તે કમસેકમ રૂ. 6,000માં મળી શકે છે, જ્યારે સ્ટ્રીટ ડોગ જે ડાઘ વગરના કાળા હોવા છતાંય રૂ. 1,000 થી રૂ. 2,500માં વેચાય છે.” જ્યોતિષના પ્રતાપે ડિમાન્ડ વધી પરંતુ “જ્યારે તેઓને કૂતરાઓની સારી જાતિ મળતી નથી, ત્યારે તેઓ આજીવિકા માટે શેરી કૂતરાઓ પર નિર્ભર બની જાય છે”
જો કે, તેઓ આગ્રહ રાખે છે કે કૂતરાને એલર્જી ન હોય તેની ખાતરી કરવા માટે તેઓ “સારી ગુણવત્તા વાળ રંગ” નો ઉપયોગ કરે છે. રાજુ અને તેના જેવા અડધો ડઝન અન્ય ‘સાહસિકો’ દર અઠવાડિયે એક ડઝનથી વધુ કૂતરા વેચવાનું સંચાલન કરે છે. તેની કબલાત અનુસાર ભુખરા, કથ્થઈ અથવા સફેદ ગલુડિયાઓને કાળા રંગમાં રંગીને પછી વેચવામાં આવે છે.
રાજુએ કહ્યું, “અમે સારી ગુણવત્તાના રંગોનો ઉપયોગ કરતા હોવાથી પ્રાણીઓને કોઈ એલર્જી નથી હોતી અને રંગો ઝાંખા થવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગે છે. “ત્યાં સુધીમાં ગ્રાહક અને તેનો પરિવાર પ્રાણી સાથે એટલા ભાવનાત્મક રીતે જોડાયેલા થઈ જાય છે કે તેનો રંગ બદલાતો હોવા છતાં તેઓ તેને રાખે છે.” સુરતમાં કાળા કૂતરાનો કારોબાર વધી રહ્યો છે.
આ બાબતે જ્યારે વન વિભાગ સાથે વાત કરવામાં આવી તો ગુજરાત બ્રેકિંગ સમક્ષ જાણકારી આપવામાં આવી કે, કૂતરાને આ રીતે રંગ આપવાથી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે જે પ્રાણીઓ પર રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. દરમિયાન, પોલીસનું કહેવું છે કે લોકો માટે આ એટલું સામાન્ય કૃત્ય માનવામાં આવે છે કે તેના પર લોકો ધ્યાન નથી આપી રહ્યા.