મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના વિવિધ પંડાલોમાં બિરાજમાન દુંદાળા દેવશ્રી ગણપતિ દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળકામના કરી હતી.
તેમણે દેશના સર્વાંગી વિકાસ અને નાગરિકોના આરોગ્ય-સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે ઉજવણીમાં જોડાયેલા તમામ ભાવિક ભક્તોને ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સુરતના ભટાર ટેનામેન્ટ ખાતે સાંઈરામ યુવક મંડળ, ઘોડદોડ રોડના પૂનમનગર સોસાયટી ખાતે પૂનમનગર યુવક મંડળ, ભટાર ખાતે ઠાકુરજી સેવા સમિતિ, પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રોકડિયા હનુમાન મંદિર ખાતે રોકડિયા યુવક મંડળ, પાંડેસરાના સાંઇબાબા સોસાયટી ખાતે સાંઇ યુવક મંડળ, નવાગામ-ડીંડોલી ખાતે ઉમિયાનગર સ્થિત અષ્ટ વિનાયક ગણેશ મિત્ર મંડળ, પરવત પાટીયા ખાતે અક્ષર ટાઉનશીપ સ્થિત ઉમિયા શક્તિ મંડળ, વરાછા ઝોન ઓફિસ સામે અરિહંત પાર્કના શિવાય ગ્રુપ સ્થાપિત ગણેશ પંડાલ.
મહિધરપુરા ખાતે દાળીયા શેરીના સાર્વજનિક ગણેશ ઉત્સવ, કતારગામ ઝોન ઓફિસની બાજુમાં રોયલ વિંગ્સ ગ્રુપના ગણેશજી, સગરામપુરા, કૈલાશનગરના સુરત શહેર સાંઇ યુવક મંડળ સ્થાપિત ગણેશ પંડાલ, અડાજણના આનંદમહલ રોડ ખાતે ગાર્ડન ગ્રુપના ગણેશજી, રાંદેર ખાતે નવયુગ કોલેજ સામે વાસ્તવ ગ્રુપના ગણેશજી, ડુમસના સુલતાનાબાદ ખાતે આંબાવાડી યુવક મંડળ ખાતે સ્થાપિત ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ.
મેયર હેમાલી બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી, પોલીસ કમિશનર અજય તોમર, ધારાસભ્ય કાંતિ બલર, સંગીતા પાટીલ, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.