જીએસટીમાં 1 ઓગસ્ટથી ઈ-ઈનવોઈસ જારી કરવાની મર્યાદા અડધી કરવામાં આવી રહી છે. હાલ 10 કરોડ વાર્ષિક ટર્નઓવર મર્યાદા જુલાઈ પછી વધારીને 5 કરોડ કરવામાં આવી રહી છે. જીએસટી પોર્ટલે નવી સુવિધા શરૂ કરી છે. કોઈપણ વેપારી પોર્ટલ પર લોગ-ઈન કરીને જોઈ શકે છે કે તે ઈ-ઈનવોઈસના દાયરામાં આવી રહ્યો છે કે નહીં. https://evoice.gst.gov.in લિંક પર જઈને વેપારી સરળતાપૂર્વક પોતાની યોગ્યતા તપાસી શકે છે.
તમને જણાવી દઈએ કે, ઈ-ઈનવોઈસની યોગ્યતા તપાસવાની આ સુવિધા GST પોર્ટલ પર શરૂ પણ થઈ ચૂકી છે. હકીકતમાં જોવામાં આવે તો, ઈ-ઈનવોઈસ માટે ટર્નઓવર મર્યાદા વર્તમાન નાણાકીય વર્ષથી ગણવામાં આવતી નથી. આ બાબતે શહેરના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ્સના અભિપ્રાય છે કે, GST લાગુ થયા પછી, કોઈપણ વર્ષમાં, જો ટર્નઓવર નિર્ધારિત મર્યાદામાં આવે છે, તો ઇ-ઇનવોઇસ જારી કરવું પડશે. આમાં, ટર્નઓવરની ગણતરી કોઈ એક સંસ્થાના નામ પર નહીં પરંતુ તે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ના આધારે કરવામાં આવે છે. એટલે કે, જો એક PAN પર એક કરતાં વધુ વ્યવસાય નોંધાયેલા હોય અને તમામનું ટર્નઓવર એકસાથે મર્યાદા કરતાં વધુ હોય, તો ઈ-ઈનવોઈસ લાગુ કરવામાં આવશે.
વિશેષ બાબત એ છે કે જો કોઈ રજિસ્ટર્ડ હોય એવા ડીલરે GSTR-3B રિટર્નમાં ઓછું ટર્નઓવર બતાવ્યું હોય, તો પોર્ટલ ઈ-ઈનવોઈસ ઈશ્યૂ કરવાની યોગ્યતા દર્શાવશે નહીં. પરંતુ કાયદેસર રીતે, જો આવા વ્યવસાયનું ટર્નઓવર 5 કરોડથી વધુ હોય, તો તેઓ ઈ-ઈનવોઈસ જારી કરવા જવાબદાર રહેશે. આવી સ્થિતિમાં, આવા ઉદ્યોગપતિએ ઈ-ઈનવોઈસ પોર્ટલ પર લોગ-ઈન કરી ઈ-ઈનવોઈસ જારી કરવા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ટેક્સ કન્સ્લ્ટન્ટનું એમ પણ કહેવું છે કે પરિસ્થિતિ એવી પણ સર્જાય કે ગત નાણાકીય વર્ષમાં અમુક ટર્નઓવર બાકી રહી ગયું હોય અને આગામી નાણાકીય વર્ષમાં આ પ્રકારનું ટર્નઓવર બતાવવામાં આવે. જો આગામી નાણાકીય વર્ષનું વાસ્તવિક ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય અને માત્ર પાછલા નાણાકીય વર્ષનું ટર્નઓવર દર્શાવવાથી, તે નાણાકીય વર્ષનું ટર્નઓવર 5 કરોડને વટાવી ગયું હોય, તો આવી સ્થિતિમાં ઉદ્યોગપતિ ઈ-ઈનવોઈસ.ઇશ્યુ કરવા જવાબદાર રહેશે નહીં.