યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્ત પ્રમાણેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે એ માટે આ ફેરફાર થયો છે. અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એ ઉપરાંત અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત કરવામાં આવશે. અંબાજી મંદિરમાં બપોરના સમયે કરાતી આરતી બંધ કરાશે.
દર્શન ઉપરાંત આરતીના સમયમાં પણ ફેરફાર અષાઢી બીજથી થશે. નવા જાહેર થયેલા ફેરફારો અનુસાર, સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે આ સમય 11.30 સુધી લંબાવાયો છે. અત્યાર સુધી માતાજીની સવારનાં દર્શન 10.45 સુધી ખુલ્લા રાખવામાં આવતા હતા. ત્યારબાદ 4.30 કલાક સુધી દર્શનનો લાભ ભક્તોને મળશે.
અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. આરતી સવારે – 7.30 થી 8.00, દર્શન સવારે – 8.00 થી 11.30, બપોરે આરતી બંધ કરવામાં આવી છે. બપોરે દર્શન – 12.30 થી 16.30, સાંજે આરતી -19.00 થી 19.30, દર્શન માટે સાંજે – 19.30 થી રાત્રીના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે.