ભારતે બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોરોનાને કારણે સ્થગિત વિદેશી ફ્લાઇટ્સ 27 માર્ચથી ફરી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, વિશ્વભરમાં રસીકરણને ધ્યાનમાં રાખી તેમજ યોગ્ય ચર્ચાવિચરણા બાદ ભારત સરકારે 27-માર્ચથી કોમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરતાં જણાવ્યું કે, આ સાથે એર બબલ સિસ્ટમ પણ નાબૂદ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને 37 દેશો વચ્ચે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે. ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.