કોરોનાના કેસો નહીવત્ થયા બાદ માઘ પુનમના પવિત્ર દિવસે શ્રદ્ધાળુંઓ માટે ખુશીના સમાચાર શક્તિપીઠ અંબાજી ખાતેથી આવ્યા છે. મહાસુદ પૂનમને બુધવાર તા. 16થી અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે દૈનિક 2 ભજન મંડળી પારંપરિક ગરબા તથા પારંપરિક ભજન, કીર્તન, સત્સંગ કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા શરુ કરવાનો નિર્ણય મંદિર મેનેજમેન્ટે કર્યો છે.
શક્તિપીઠ અંબાજી ખાતે દેશ-વિદેશથી માતાના ભક્તો માં અંબાના દર્શન કરવા આવે છે. ધન્યતા અનુભવે છે. બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલ (આઈએએસ) અને અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને સુચારું રીતે દર્શન થઇ શકે તથા અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે.
read more: રામની જગ્યાએ પ્રોફેસરે પોતાની અને સીતાની જગ્યાએ પત્નીની તસ્વીર લગાવી
ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી પ્રોત્સાહિત કરવા તથા અંબાજી મંદિર ચાચર ચોક ખાતે દર્શન કરતા યાત્રાળુઓ ભક્તિભાવથી ધાર્મિક પ્રવૃતિમાં ભાગ લે તથા ભાતીગળ સંસ્કૃતિથી અવગત થાય તેવા શુભ આશય સાથે આજ મહાસુદ પૂનમને બુધવાર તા. 16થી અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે દૈનિક 2 ભજન મંડળી પારંપરિક ગરબા તથા પારંપરિક ભજન, કીર્તન, સત્સંગ કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
દરરોજ 2 ભજન મંડળી, મંદિર દર્શન માટે ખુલ્લું હોય તે સમયે ચાચર ચોક ખાતે ભજન કરી શકશે. ભજન મંડળીઓના ભક્તો માટે અંબીકા ભોજનાલય ખાતે વિનામૂલ્યે ભોજન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભજન માટે ઇચ્છુક ભજન મંડળીઓ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલયનો (02749 262236) સંપર્ક કરી વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. આગામી સમયમાં ભજન મંડળીઓ ભજન માટે વેબસાઈટ મારફત ઓનલાઇન બુકિંગ કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી સમગ્ર ગુજરાત રાજ્ય કે અન્ય જગ્યાએથી પણ ભક્તો ઓનલાઇન બુકિંગ કરી માં અંબેના ચાચર ચોકમાં ભજન, કીર્તન કે સત્સંગ કરી શકે તેવી અદ્યતન વ્યવસ્થા શરુ કરવામાં આવશે.