ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના મેનેજમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે જ્ઞાન સેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેલ્ફ ટ્રાઇબલ રેસીડેન્સિયલ સ્કૂલ અને ડે સ્કૂલ તથા રક્ષાશકિત શાળાઓ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈને રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) એકટ 2009નું ઉલ્લંઘન કરી રહી છે.
ગુજરાત રાજ્યય શાળા સંચાલક મહામંડળે પાઠવેલા એક પત્રમાં જણાવ્યા અનુસાર આરટીઇ એકટમાં પ્રાથમિક શાળાઓમાં એન્ટ્રન્સ ટેસ્ટ પર સ્પષ્ટ પ્રતિબંધ છે. રાજ્ય સરકારના આરટીઇ એકટના ચેપ્ટર-3ના સેકશન 8માં નિયમ 2માં ઉલ્લેખ છે કે, ‘કોઇ શાળા ડોનેશન નહીં સ્વીકારે, માતા પિતાના ઇન્ટરવ્યુ નહીં લે અથવા તો બાળકોના પ્રવેશ માટે ટેસ્ટ ન લઇ શકે.’
રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે 50 જ્ઞાનશકિત નિવાસી શાળાઓ, 25 જ્ઞાનશકિત આદિજાતિ નિવાસી શાળાઓ, 400 જ્ઞાનશકિત ડે સ્કૂલો અને 10 રક્ષાશકિત શાળાઓ પીપીપી મોડેલના ધોરણે સ્થાપી છે. આ સ્કૂલો સ્થાપવાનો હેતુ ગરીબ પરિવારોના ધોરણ 6થી 8માં ખાનગી, ગ્રાન્ટ ઇન એઇડ અને જાહેર શાળાઓમાં ભણતા હોંશિયાર વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાનો છે. આ શાળાઓમાં પ્રવેશ માટે 27 એપ્રિલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવી છે. અહીં એ પણ જણાવવું જરૂરી છે કે, અત્યાર સુધીમાં આ શાળાઓમાં પ્રવેશ માટે 5.15 લાખ વિદ્યાર્થીઓ અરજી કરી ચૂક્યા છે.
એસોસિએશને પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ, પત્રમાં કહેવાયું છે. આ શાળાઓમાં બાળકોના પ્રવેશથી ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના 100 જેટલા વિભાગો બંધ થઈ જશે અને શિક્ષકો ફાજલ પડશે. આ શાળાઓના કારણે ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ ગુમાવશે. જ્ઞાનશકિત નિવાસી શાળાઓ 1500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે તો 7500 વિદ્યાર્થીઓ જ્ઞાનશકિત આદિજાતિ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવશે એ જ પ્રમાણે 32000 વિદ્યાર્થીઓ જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં અને 800 વિદ્યાર્થીઓ રક્ષાશકિત શાળાઓમાં પ્રવેશ મેળવશે.