વડોદરા સ્થિત જગવિખ્યાત અને કરોડો હિન્દૂઓના આસ્થાના પ્રતિક એવા શક્તિપીઠ પાવાગઢ નજીક એક ધર્મશાળા તોડીને ચોક બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ અંગે ખોદકામ દરમિયાન પ્રાચીન સમયના તોપ અને તોપ ચલાવવાના નાળચું મળી આવ્યું છે. પ્રાચીન અવશેષો મળી આવતા પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરી હાલ આ કામગીરી રોકી દેવાઈ છે.
શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન માં મહાકાળીના ધામમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્શને શ્રદ્ધાળુઓ આવતા હોય છે. નવરાત્રી જેવા દિવસોમાં તો સ્થાનકમાં માનવ મહેરામણ ઉભરાતું હોય છે. યાત્રાળુઓને સુગમતા રહે અને ભીડભાડ કે ધક્કામુક્કી ટાળી શકાય એ માટે માચી ખાતે મોટો ચોક બની રહ્યો છે. ચોક બનાવવા ખોદકામ પણ શરૂ કરી દેવાયું છે.
READ MORE: સૂર્ય પછી હવે શુક્ર, મંગળ રાશિ બદલશે, જાણો કોને ફળશે આ રાશિ પરિવર્તન
ગત સાંજે ખોદકામ દરમિયાન આ સ્થળેથી તોપગોળા અને લોખંડના નાળચાઓ મળી આવ્યા હતા. ઘટનાની જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ લોકો ભારે સંખ્યામાં આ પ્રાચીન યુદ્ધ સામગ્રી જોવા પહોંચવા લાગ્યા હતા. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષોને સલામત રીતે એક તરફ કરીને ખોદકામ હાલ પુરતું બંધ કરી દેવાયું છે.
ગ્રામપંચાયતના સભ્ય ગુજરાત બ્રેકીંગ સાથે ધવલ સેવકે વિશેષ વાત કરતા જણાવ્યું કે, દર્શનાર્થીઓના લાભાર્થે આયોજન કરી ચાંપાનેર-પાવાગઢ ગ્રામપંચાયત હેઠળની જૂની જિલ્લા પંચાયતની જમીનમાં ધર્મશાળા તોડી મોટો ચોક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ખોદકામ દરમિયાન તોપ અને તોપ ચલાવવાની પાઇપો જેવી યુદ્ધ સામગ્રી મળી આવી છે. આ અંગેની જાણ પુરાતત્વ વિભાગને કરવામાં આવી છે.