મૌલાના મસૂદ અખ્તરે એક ફરમાન જારી કરીને કહ્યું કે નિકાહ પણ રાત્રે 11 વાગ્યા પહેલા કરી લેવા જોઈએ કારણ કે આ પછીનો સમય શુભ માનવામાં આવતો નથી. જો કોઈ રાત્રે 11 વાગ્યા પછી નિકાહ કરવાનો પ્રયાસ કરશે તો તેને દંડ પણ લાગશે.
આ મામલો ઝારખંડના ધનબાદ જિલ્લાના નિરસા બ્લોકનો છે. અહીં સ્થિત સિબિલીબારી જામા મસ્જિદના વડા ઇમામ મૌલાના મસૂદ અખ્તરે એક વિચિત્ર ફતવો જારીકર્યો છે. તેમણે સોમવારે કહ્યું હતું કે ‘અમે સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે નિકાહ (લગ્ન) ઇસ્લામિક ધર્મ અનુસાર પૂર્ણ કરવામાં આવશે. નૃત્ય, ડીજે મ્યુઝિક અને ફટાકડાનું પ્રદર્શન હશે નહીં. એટલું જ નહીં, આદેશનું ઉલ્લંઘન કરનાર પર 5,100 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે આ નિયંત્રણો 2 ડિસેમ્બરથી લાગુ થશે.
સિબિલીબારી જામા મસ્જિદના મુખ્ય ઈમામ મૌલાના મસૂદ અખ્તરે વધુમાં કહ્યું કે ઈસ્લામમાં આ પ્રકારની પ્રથાઓને મંજૂરી નથી. જેના કારણે લોકોને પણ અસુવિધા થાય છે. આ સિવાય લગ્ન 11 વાગ્યા પહેલા કરવા જોઈએ કારણ કે આ પછીનો સમય શુભ માનવામાં આવતો નથી. તેમણે કહ્યું કે જો કોઈ રાત્રે 11 વાગ્યા પછી નિકાહ કરવાનો પ્રયાસ કરશે તો તેને દંડ પણ ફટકારવામાં આવશે. આ સાથે આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિએ લેખિત માફી પણ આપવી પડશે.
આ આદેશ જારી કરીને મૌલાના મસૂદ અખ્તરે તેમના સમુદાયના સભ્યોને તેમના સંબંધીઓ અને હિતધારકોમાં આ આદેશ ફેલાવવાની અપીલ પણ કરી હતી.