વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિદેવ ગ્રહોની વચ્ચે પોતાની રાશિ બદલવા માટે સૌથી ધીમા ગ્રહ છે. તમને જણાવી દઈએ કે તમામ રાશિઓમાં એક ચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. જ્યોતિષના મતે હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે.
એવું માનવામાં આવે છે કે આ વર્ષે શનિદેવ કોઈ પણ રાશિમાં સંક્રમણ કરવાના નથી.માર્ચમાં, શનિદેવ કુંભ રાશિમાં ઉદય કરશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જ્યોતિષીઓના મતે, ઓછામાં ઓછા 30 વર્ષ પછી કુંભ રાશિમાં શનિદેવનો ઉદય થઈ રહ્યો છે. ચાલો આજે કે કઈ રાશિના જાતકોને ફાયદો થવાનો છે.
તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેશે. કારણ કે માર્ચમાં શનિદેવનો ઉદય થશે. તુલા રાશિવાળા લોકોના વર્ષોથી અટકેલા કામ પૂરા થશે. આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. તેમજ કરિયરમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે.
વૃષભ
કુંભ રાશિમાં શનિનો ઉદય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિની આવકમાં વધારો થવાની સંભાવનાઓ વધી જશે. તેમજ ઘરમાં સુખ-શાંતિ રહેશે. નોકરીની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. તેમજ મિત્રોના સહયોગથી કાર્ય પૂર્ણ થશે.
ધન
ધનુ રાશિના લોકો માટે માર્ચ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. લોકોની આર્થિક સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે. સાથે જ પરિવારમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે. પ્રવાસની સંભાવના રહેશે. તમને કમાણીનો નવો રસ્તો પણ મળશે.