ફિલ્મ આદિપુરુષને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે ફિલ્મના નિર્માતાઓએ મોટો નિર્ણય લીધો છે. હા, ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ફિલ્મના વિવાદાસ્પદ સંવાદો બદલવામાં આવશે. જાણિતી ફિલ્મી હસ્તીઓ, વિવેચકો અને રાજકારણીઓ જ નહીં ચાહકોએ એકશ્વાસે આદિપુરુષના વાણીવિલાસને નકારી કાઢતાં તીખી પ્રતિક્રિયાઓનો મારો ચલાવ્યો હતો.