બંગાળની ખાડીમાં શક્તિશાળી વાવાઝોડું (Cyclone) સર્જાયું છે અને તે ઝડપભેર આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓડિસા અને પશ્ચિમ બંગાળના માછીમારોને ચેતવણી જાહેર કરી છે. આવતીકાલે એટલે કે 24મીએ આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે.
હવામાન નિષ્ણાતોએ આ વખતે સારા વરસાદની આગાહી કરી છે. અલનીનો અંત અને લાનીના અસરકારક બનવાની પ્રબળ શક્યતાઓ સાથે તેની ઝલક પણ દેખાવા લાગી છે. બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બનવાને કારણે ઓડિશાના ઉત્તરી જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વૈજ્ઞાનિઓએ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી છે.
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેને કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે.
IMD એ કહ્યું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ અંધ પ્રદેશના દરિયા કિનારે બંગાળની ખાડીમાં દબાણનો વિસ્તાર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને 24 મેની સવાર સુધી દબાણ આવશે. IMDએ કહ્યું, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે (સાત સેમી.’ થી 11 સેમી) અલગ-અલગ સ્થળોએ અને અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને ચેતવણી
તેમણે કહ્યું કે હવામાન વિભાગ દ્વારા માછીમારોને ચેતવણી આપાઇ છે કે તેઓ પાછા ફરે. ઉપરાંત પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોને પણ 26 મે સુધી દરિયામાં ન જવા સૂચના અપાઇ છે. શક્તિશાળી ડિપ્રેશનના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી. કારણ કે, આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે. હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 22મી મે, 2024ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 24મી મે, 2024ની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.
આગામી 7 દિવસ ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે. ઉલ્લેખનીય છે કે અનેક હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રહેશે. જેથી ગુજરાતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધુ ગતિએ પવનો ફૂંકાવાની સાથે અતિભારે વરસાદની શક્યતા છે. પરંતુ હાલ પૂરતી હવામાન વિભાગે આ તમામ આગાહીને નકારી કાઢી છે.