જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનામાં બુધ 3 વખત ગતિ બદલશે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભગવાન બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે.તેમજ સ્થિતિમાં શુક્ર અને સૂર્ય પહેલાથી જ મીન રાશિમાં હાજર છે.પહેલા નોરતે મીન રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બનશે.જેની વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર પડશે.તે દરમિયાન આ 3 રાશિના જીવનમાં ચાલતી સમસ્યા દૂર થઇ સંપત્તિમાં વધારો થશે.
મિથુન
મિથુન રાશિના જાતકોને ત્રિગહી યોગનો લાભ મળશે.જે લોકો બેરોજગાર છે તેઓને સારી નોકરી મળી શકે છે.તેમજ હાલમાં,કોઈ મિલકત ખરીદવાનું વિચારતા હોય તો તે સફળ થશે.આ સાથે જ નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળે પ્રમોશન મળશે. તેમજ જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને બમણો લાભ મળશે.
કર્ક
કર્ક રાશિવાળા લોકો માટે બુધ, શુક્ર અને સૂર્ય ભગવાનનો સંયોગ ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે કર્ક રાશિના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.તેમજ આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકોના મનમાં આત્મવિશ્વાસ વધશે. સાથે જ કરિયરમાં પણ અચાનક બદલાવ આવશે.
મકર
જ્યોતિષના મતે ત્રિગ્રહી યોગ મકર રાશિવાળા લોકો માટે અનુકૂળ સાબિત થશે. કારણ કે મકર રાશિમાં ત્રીજા ઘરમાં ત્રિગ્રહી યોગ બનશે. આવી સ્થિતિમાં વ્યક્તિમાં હિંમત અને બહાદુરી વધે છે. તમને તમારા પરિવાર તરફથી પણ સહયોગ મળશે. આત્મવિશ્વાસ વધશે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે. નોકરી કરતા લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે.