ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે. વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ અંબરીશ જે. ડેરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.અર્જુન મોઢવાડિયા ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા છે. આજે વિધાનસભા અધ્યક્ષને મળ્યા બાદ તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. તેઓ પોરબંદરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
રાજીનામાં બાદ શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ
અર્જુન મોઢવાડિયાએ PMને પનોતા પુત્ર કહી સંબોધ્યા,અને કહ્યું કે હું,1982થી હું કોગ્રેસ પક્ષ સાથે જોડાયેલો હતો,મે પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે,હુ કોગ્રેસમાં છેલ્લા ઘણાં સમયથી ગુંગળામણ અનુભવતો હતો.દેશના લોકોની લાગણી હતી કે રામ મંદીર બને.મે કોગ્રેસ પક્ષમાં ઉપલા લેવલ સુધી મારી ઘણી બધી વાતો પહોંચાડવાનો સંદેશ પહોચ્તો કર્યો હતો.આજે હું કોગ્રેસ સાથેના બંધનથી મુકત થયો છું,તો હું મારા જીવનની નવી શરૂઆત ખૂબ ટૂંક સમયમાં કરીશ.મારી કોઈની સામે કોઈ ફરિયાદ નથી.પોરબંદરના મારા શુભેચ્છકોની લાગણીને લઈ મે પક્ષ છોડયો છે,મે કપરી પરિસ્થિતિ પણ જોઈ છે.તો મે મારી મરજીથી રાજીનામું આપ્યું છે,મને કોઈ ડરાવવા માટે આવ્યું નથી.હુ ભાજપમાં જોડાવવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. કોગ્રસ દ્રારા રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું હતું,તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે કેમ કોંગ્રેસ છોડી? હું આત્મમંથનમાંથી મુક્ત થયો છું,હું જ્યાં હોઉં ત્યાં મારી ભૂમિકા કમિટમેન્ટ સાથેની હોય છે.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત પહોંચવાની છે, લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, તેવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.અંબરિશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડયો છે.રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસમાં આ મોટું ગાબડું પડયું છે.અર્જુના મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ છે.મહત્વની વાત તો એ છે કે,રામ મંદિર મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડને લઈ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.