સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી દાદાના ધામમાં દર વાર-તહેવારના દિવસે પ્રસંગોચિત વાઘાથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે. મંગળવારે ભારતના સ્વતંત્રતા પર્વ નિમિત્તે કષ્ટભંજન દેવને તિરંગા વાઘાનો શણગાર કરી સ્વાંતત્ર્ય પર્વની કરી ઉજવણી કરવામાં આવી હતી.
ભવ્ય અને દિવ્ય શણગારના દર્શનનો લાભ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને ભક્તો પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમના દેશને ખરાબ નજરોથી બચાવી હરહંમેશ પ્રગતિના પંથે લઈ જાય. કષ્ટભંજન દાદાની મૂર્તિને તિરંગા તેમજ ફૂલોથી તિરંગાનો કલાત્મક આકાર અપાયો હતો,
ભક્તિયજ્ઞની એ અદભૂત દ્રશ્યાવલી જોઈ લોકો ભાવવિભોર થયા હતા. વહેલી સવારથી ભક્તોની ભીડ મંદિરે જામી હતી.