નિ.લી.પૂ.પા.ગો. શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રાગટય ઉત્સવના ઉપલક્ષ્યમાં શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી પુષ્ટિમાર્ગીય ઉત્સવ સમિતિ રાજકોટ દ્વારા રાજકોટ ખાતે વૈષ્ણવ સમૂહ લગ્ન સમારોહનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવમાં 30 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ ભવ્ય પ્રસંગે શ્રી પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલી-જામનગર, શ્રી વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ-જામનગરનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો હતો.
વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવમાં મોટી હવેલી જામનગરના પૂ.ગો.શ્રી હરિરાયજી મહારાજ, પૂ.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય, પૂ.ગો.શ્રી પ્રેમાદ્રરાયજી મહોદય સહિત અનેક શ્રેષ્ઠીઓની પધરામણી થઈ હતી, જેઓના નવયુગલોને આશીર્વચન પ્રાપ્ત થતા તેઓએ ધન્યતા અનુભવી હતી.
વૈષ્ણવ સમૂહ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિ હતી. જામનગરના વિદ્વાન નિલેશકુમાર લલિતચંદ્ર વ્યાસ શાસ્ત્રીપદે બિરાજીને લગ્નવિધિ કરી હતી. વૈષ્ણવ સમૂહ લગ્નોત્સવ દરમ્યાન પાટીદાર રત્ન તથા રાજકોટના બિલ્ડર મનસુખભાઈ સાવલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.