સિધ્ધયોગ સાધન મંડળ ગાંધીનગર સંચાલિત સિદ્ધયોગ આશ્રમ દેરોલી ખાતે 8મી મેએ સાધકો માટે પ્રવચન અને ધ્યાનના એક અદભૂત કાર્યક્રમનું આયોજન થયું છે. જીવનકાળમાં શાંતિ, આનંદ અને સુખનો અનુભવ કરવા માટે ઓછામાં ઓછા એક વાર આશ્રમની મુલાકાત અચૂક લેવી જ જોઈએ એવા શ્રી સિદ્ધયોગ આશ્રમ, દેરોલીમાં 8મીએ સવારે 8થી 12 વાગ્યા દરમિયાન આ કાર્યક્રમ માટે સાધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિયમિત ધ્યાનથી માનવી સહજ સાક્ષી ભાવમાં સ્થિત થતો જાય છે.સાક્ષીભાવમાં સ્થિત પાત્રનું સહજ જીવંત ઉદાહરણ એવા પૂ. ગુરુજી શ્રી વિશાલભાઈ દ્વારા આ પ્રવચન અને ધ્યાન યોગ કરાવાશે. અહીં એ જણાવવું જરૂરી છે કે, કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા સાધકોએ અગાઉથી જાણ કરવી આવશ્યક છે.
સિદ્ધયોગી ગુરુજી વિશાલભાઈ એ કુંડલિની શક્તિપાતના પ્રણેતા છે. ગાંધીનગરમાં તેમનો ઉછેર સિદ્ધયોગી શ્રી વિભાકર પંડ્યા દ્વારા આધ્યાત્મિક પદ્ધતિથી થયો છે. તેમની યોગ સાધના ખુબ જ નાની ઉંમરે શરુ થઇ હતી.સિદ્ધયોગી શ્રી વિભાકર પંડ્યા સાધકોમાં વિભાકર દાદા તરીકે વંદનીય છે. શ્રી વિભાકર પંડયાજીએ ધ્યાન યોગ અને કુંડલિની ધ્યાનના વ્યવહારિક પાસાઓને સમજાવવા સાઈઠ અને સિંતેરના દાયકાઓમાં આ પ્રવૃત્તિ નાની નાની શિબિરોના સ્વરૂપમાં ગુજરાતમાં શરુ કરી હતી. વર્તમાનમાં આ પ્રવૃત્તિ એક વિશાળ અભિયાનમાં ફેરવાઈ ગઈ છે.
આ પ્રવૃત્તિના વધતા વ્યાપને પહોંચી વળવા તેમણે “સિદ્ધયોગ સાધન મંડળ” નામ હેઠળ 1976માં એક સંસ્થા બનાવી. પ્રારંભમાં આ પ્રવૃત્તિ અલગ અલગ જગ્યાઓએ છુટા છવાયા સ્વરૂપમાં ચાલુ થયેલ હતી જેથી સાધકોને સ્થાયી રૂપથી કોઈ એક જગ્યાએ સાધના માટેનું વાતાવરણ ન મળતું હતું જેમના લાભાર્થે દેરોલી, ભરૂચ, ગુજરાત- ભારતમાં શ્રી સિદ્ધયોગ આશ્રમનું અનાવરણ થયું.ત્યારથી આ આશ્રમમાં વિવિધ રચનાત્મક આધ્યાત્મિક પ્રવૃતિઓનું અભિયાન અવિરત છે. ભરૂચ જીલ્લાના દેરોલીમાં “સિદ્ધિયોગાશ્રમ” લોકોને “આત્મ-સાક્ષાત્કાર” તરફ આગળ વધવા એક મહત્વનું સ્થાન બની ગયું છે.
વિશાલભાઈ સાધકોની સાધનાકીય શંકાઓનું સમાધન કરવા સતત તત્પર રહે છે. સાધકોને વિશાલભાઈ સાથે સત્સંગ અને સાન્નિધ્યનો લાભ લેવા ખાસ ભલામણ છે. સાધકોના લાભાર્થે શ્રી વિશાલભાઈ વર્ષ દરમ્યાન વિવિધ યોગ વિષયક શિબિરો જેવી કે ચક્ર શુદ્ધિકરણ, આસાન પ્રાણાયામ, ક્રિયા યોગ અને સોહમ પર પણ સાધકોને અગત્યનું માર્ગદર્શન કરે છે. કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા સાધકોએ વધુ વિગતો માટે 9408720452 અને 9825658573 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.