ભારતીય ભૂમિદળ(ઈન્ડિયન આર્મી)માં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છતા, અવિવાહિત, શારીરિક સશક્ત પુરુષ/મહિલા ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતી માટે તા.૧૬/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૩/૨૦૨૩ સુધી www.cdnindianarmy.nic.in વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી માટે ઓછામાં ઓછું ધો. ૮ પાસ તેમજ તા.૦૧/૧૦/૨૦૦૨ થી તા.૦૧/૦૪/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ/મહિલા ઉમેદવારો અરજી કરી કશે.
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં અંગત વિગતો, પત્રવ્યવહારની વિગતો, રહેઠાણનું સરનામું, ઈ-મેઈલ આઈ.ડી, મોબાઈલ નં., જાતિનો દાખલો, ડોમિસાઈલ સર્ટિફિકેટ અને એન.સી.સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે વિગતો દર્શાવવી. રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે. વધુ માર્ગદર્શન માટે રોજગાર સેતુ હેલ્પલાઈન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર કોલ કરી તેમજ મ.રોજગાર નિયામક કચેરી, સી-૫, બહુમાળી ભવન, નાનપુરા ખાતેથી રૂબરૂમાં માહિતી મેળવી શકાશે તેમ મદદનીશ નિયામક(રોજગાર)- સુરતની યાદીમાં જણાવાયું છે.