ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ આજે નવા નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અમૃતકાળનાં આ અંદાજપત્રમાં કેટલીક રાહતો જાહેર કરવા ઉપરાંત અમુક નવા પ્રોજેકટોની દરખાસ્ત કરવામાં આવી.ઔદ્યોગિક સહીતના ક્ષેત્રોમાં વિકાસ મોરચે અગ્રિમ ગુજરાતની પ્રગતિના નવા સોપાન સર કરાવવાનાં ઉદ્દેશ સાથે બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. ગુજરાતના ગ્રોથ એન્જિન માટે શિક્ષણ-કૃષિ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સર્વોચ્ચ 85 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિક્ષેત્ર પર ખાસ જોર આપવામાં આવ્યું હોવા ઉપરાંત ઉદ્યોગો તથા શહેરી વિકાસ માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાતના નાગરિકો પર કોઈ પણ પ્રકારનો કર નાંખવામાં આવ્યો નથી. કોઈ પણ કરવેરા વગરના ફેરફાર વગરનું આ બજેટ રજૂ થતાં લોકોએ રાહત મેળવી છે. રાજ્યમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજી અને પીએનજીનો 15 ટકાથી ઘટાડીને 5 ટકા વેટ કરાયો છે. હવે તેનો લાભ ખરેખર સામાન્ય પ્રજા સુધી પહોંચે એ સરકારે જોવું રહ્યું.
શૈક્ષણિક ક્ષેત્ર
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલો મળી કુલ ૮૩૮ જેટલી શાળાઓના અંદાજીત ૧.૫ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે રૂ.૬૬૭ કરોડની
જોગવાઇ
કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના ૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે
૨૪૫ કરોડની જોગવાઈ.
૩ લાખ જેટલાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ૫૨૦ કરોડની જોગવાઈ
પ્રિ-મેટ્રિકના અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે
૧૬૭ કરોડની જોગવાઈ.
ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે ૧૧૭ કરોડની જોગવાઈ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત કુલ ૫૨ (બાવન) આદિજાતિ તાલુકાના અંદાજે ૮ લાખ બાળકોને વિશિષ્ટ પોષણ માટે
૧૪૪ કરોડની જોગવાઈ.
આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયના અદ્યતન સુવિધા વાળા બાંધકામ માટે ૧૨૦ કરોડની જોગવાઇ.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે ૧૫ હજાર જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા, જમવા અને શિક્ષણ માટે
૪૦ કરોડની જોગવાઇ.
વિદ્યાસાધના યોજના હેઠળ ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૪૨ હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા ૧૮ કરોડની જોગવાઈ.
અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત
૨૩ કરોડની જોગવાઇ.
રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૧૦ કરોડની જોગવાઈ.
આર્થિક મોરચો
આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેશર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે ૨૯ કરોડની જોગવાઇ.
ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ.
સિંચાઇની સુવિધા વધારવા માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ સાથે લિફ્ટ ઇરિગેશન યોજનાથી અંદાજે ૧૨ હજાર આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે
૭૫ કરોડની જોગવાઇ.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિના ૧૫ હજાર જેટલા મહિલા પશુપાલકોને સહાય આપવા માટે ૩૪ કરોડની જોગવાઇ.
કૃષિ વૈવિધ્યીકરણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧ લાખ જેટલા ખેડૂતોને ઇનપુટ કીટ સહાય માટે
૩૦ કરોડની જોગવાઇ.
માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે૧૫ કરોડની જોગવાઈ.
પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની હોમ સ્ટે યોજના માટે
૯ કરોડની જોગવાઇ.
• આદિમજુથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય વગેરે સગવડો માટે ૧૩૪ કરોડની જોગવાઈ.
અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવતી વ્યક્તિગત આવાસ સહાય યોજના માટે
૬૪ કરોડની જોગવાઇ.
ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સિકલસેલ એનિમીયા જેવા રોગોથી ગ્રસ્ત વ્યકિતઓ માટે આર્થિક સહાય યોજના હેઠળ `૧૧ કરોડની જોગવાઈ થઈ છે.
જાણો શું છે ખાસ તમારા માટે…
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૬ થી ૧૨ સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `૬૪ કરોડની જોગવાઈ.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ.
સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ.
એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી ૧૯૮ એમ્બ્યુલન્સ વસાવવા માટે `૫૫ કરોડની જોગવાઇ.
નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે ૫ નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
ખોરાક અને દવાઓના નમુનાઓની ચકાસણીની કામગીરી સધન બનાવવા માટે સુરત અને રાજકોટ ખાતે નવી બે પ્રયોગશાળાઓ માટે `૮ કરોડની જોગવાઇ.
દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે
વડનગર ખાતે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય, એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાંઓનું સંગ્રહાલય, દ્વારિકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત દ્વારિકા સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય, પાટણ ખાતે સંગ્રહાલય બનાવવા આયોજન
અંદાજે ૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત છે. ફેઝ-૨નું કામ પ્રગતિમાં
છે. એ જ પ્રમાણે લગભગ ૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે `૯૦૫ કરોડની જોગવાઇ.
નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે `૨૫૦ કરોડની જોગવાઇ.
મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે `૨૮૦૦ કરોડનું આયોજન.
અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને ૩૩પ૦ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે
૬૧૫ કરોડની જોગવાઇ.
૪૦૧ કરોડના ખર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી-સાંતલપુર રસ્તાની ૮૦ કિ.મી. લંબાઇની ખુટતી કડીઓની કામગીરી પ્રગતિ હેઠળ.
પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે `૨૦૦ કરોડની જોગવાઇ.
કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ–૬૫ ના ૪૦ કિ.મી. લંબાઈના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા ૨૧૮ કિ.મી. લંબાઇના રસ્તા પૈકી ૯૫ કિ.મી. લંબાઇના રસ્તાઓ માટે ૨૧૯ કરોડના કામ માટે
૧૪૦ કરોડની જોગવાઇ.
અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને ૯૫૦ કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી સિસ્ટમથી ફલાયઓવર સહિત
સિક્સ લેન કરવા ૧૬૦ કરોડની જોગવાઈ.
ભરૂચ–દહેજ રસ્તાને ૮૦૦ કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા
૧૬૦ કરોડની જોગવાઈ.
અંદાજીત ૧૫૦૦ કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે
૩૮૪ કરોડની જોગવાઈ.
ભાવનગર ખાતે પોર્ટના ટ્રાફિકને હાઇવે સુધી સરળતાથી પહોચાડવા માટે રીંગરોડ વિકસાવવા `૨૯૭ કરોડનું આયોજન.
સુરત ખાતે ભારતીય રેલ્વે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે ૯૮૦ કરોડના ખર્ચે મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે પ્રાથમિક તબક્કે
૫૭ કરોડની જોગવાઈ.
એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનો પર આપવા માટે પી.પી.પી. ધોરણે ૭ બસપૉર્ટ અમદાવાદ-ગીતા મંદિર નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ ખાતે કાર્યરત કરવામાં આવશે.