ફુટ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા હવે સ્થાનિક સ્તરે બનતી મીઠાઈઓ અને નમકીન પર આરોગ્યપ્રદ કે બીનઆરોગ્યપ્રદ તેવા લેબલ લગાડવા ફરજીયાત થયા છે. નિયમનો પ્રારંભ થતા જ દેશના અનેક શહેરોમાંથી તેનો વિરોધ શરુ થયો છે. ખાસ કરીને ફૂડ માટે જાણિતા એવા સુરત, વડોદરા, નાગપુર, ઈંદોરમાં આ વિરોધ ખુલીને બહાર આવ્યો છે.
મીઠાઈઓમાં ખાંડના અને નમકીનમાં મીઠાના ઉપયોગ અંગે એફએસએસઆઈ દ્વારા જે સ્ટાન્ડર્ડ નકકી કરવાના છે તેમાં મોટાભાગની મીઠાઈઓ આવતી નથી અને તેથી જ તેના પર બિનઆરોગ્યપ્રદ દર્શાવવા ખાસ માર્કર કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
જે રીતે વેજ અને નોનવેજ માટે અલગ અલગ માર્કર છે તેવી જ રીતે હવે મીઠાઈ અને સોલ્ટ માટે પણ તેના નિયત સ્ટાન્ડર્ડ કરતા વધુ પ્રમાણમાં જો ખાંડ કે મીઠુ હોય તો તે પેકીંગ પર અચૂક દર્શાવવાનું રહેશે. જેમાં પ્રતિ 100 ગ્રામ કે 100 મી.મી.ની માત્રામાં કેટલું સુગર અને સોલ્ટ છે તે પણ દર્શાવવાનું રહેશે. વિદેશમાં આ પ્રકારે નિયમન છે પરંતુ ભારતમાં આ નિયમનો મોટાપાયે વિરોધ શરુ થયો છે.