ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ગુજરાતનું નામ શરમજનક બનાવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આજ સુધી કોઈએ બ્રિજ દુર્ઘટના માટે સરકાર પાસેથી માફી પણ માંગી નથી અને તેની જવાબદારી લઈને કોઈએ રાજીનામું આપ્યું નથી. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા થયેલા પુલ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.
પી ચિદમ્બરમે પણ વડાપ્રધાન મોદીને પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતની સરકાર ત્યાંના મુખ્યમંત્રી ચલાવતા નથી, પરંતુ દિલ્હી સંભાળે છે. આ દરમિયાન ચિદમ્બરમે આમ આદમી પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. જો તમે દિલ્હીમાં હવાની ગુણવત્તા પર વિશ્વાસ કરો છો, તો તમે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને મત નહીં આપો.