રેકોર્ડ સંખ્યામાં ભક્તો ચાર ધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી પહોંચી રહ્યા છે. ખાસ વાત એ છે કે હવે આ ભક્તોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ નોંધાઈ જશે. તેઓ 21 ઓક્ટોબરે અહીં પહોંચી રહ્યા છે. વાસ્તવમાં, યાત્રાળુઓની રેકોર્ડ સંખ્યાને સંકેત તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન છેલ્લા બે વર્ષમાં તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આંકડા દર્શાવે છે કે વર્ષ 2022માં અત્યાર સુધીમાં 41 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા છે. જ્યારે 2019માં આ સંખ્યા 35 લાખની આસપાસ હતી. જો કે શિયાળાની શરૂઆત થતા હવે આ વર્ષે ચારધામ યાત્રા બંધ થવા જઈ રહી છે. આ દરમિયાન 15 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ, 14 લાખથી વધુ કેદારનાથ, 6 લાખથી વધુ ગંગોત્રી અને 5 લાખથી વધુ તીર્થયાત્રીઓ યમુનોત્રી પહોંચ્યા છે.
અહેવાલ છે કે વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે જ કેદારનાથમાં પુનઃનિર્મિત આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમની 12 ફૂટની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચી રહ્યા છે.
શુક્રવારે કેદારનાથ યાત્રા દરમિયાન પીએમ મોદી અહીં સમાધિની મુલાકાત લેશે અને રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ નવા મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથનું નિરીક્ષણ કરશે. આ સિવાય તે પ્રોજેક્ટ બનાવનાર ‘શ્રમજીવીઓ’ સાથે વાતચીત કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે કેદારનાથ અને બદ્રીનાથમાં તમામ વિકાસ કાર્યો 2023ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.