સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરાના મકાનમાં ચોરોએ હાથફેરો કરતાં ચકચાર મચી છે. સાંસદ અને કેન્દ્રીય મંત્રીનો પરિવાર બહાર હોવાથી બંધ મકાનમાં ઘુસેલા ચોરોએ કેટલી માલમત્તા ચોરી છે તેનો અંદાજ આવ્યો નથી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના કાફલાએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ જ્યારે ચોરીનો મામલો સામે આવ્યો છે ત્યારે, સામાન્ય જનતા તો સલામત સુરેન્દ્રનગર શહેરમાં છે જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રીના ઘરમાં ઘુસીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હોય તેવું ચિત્ર ચર્ચામાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરાના મકાનમાં કેટલી મતા માલ રોકડ રકમ કેટલી ચોરી થઈ છે તે પરિવાર આવ્યા બાદ જાણવા મળશે.
પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજો મેળવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપીની સૂચના હેઠળ વઢવાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.