કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન-18 તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ટ્રાયલ રન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ લિમિટ તોડી હતી. રેલવે માટે આ એક નવી સફળતા છે. વીડિયો શેર કરતાં અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર લખ્યું, “વંદે ભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 kmphની ઝડપે શરૂ થઈ.”
હાલમાં શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન વંદે ભારત લેશે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનની ક્ષમતા 200 kmph છે. જો કે, તેમાં અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોવું જોઈએ. નવા વંદે ભારતમાં 16 કોચવાળી શતાબ્દી એક્સપ્રેસ જેટલી જ પેસેન્જર વહન ક્ષમતા હશે. તેના બંને છેડે ડ્રાઇવર કેબિન છે. વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે. આ ટ્રેન મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી પૂરી પાડે છે.
તમને જણાવી દઈએ કે આ ટ્રેનના બીજા તબક્કાની ટ્રાયલ રન કોટા-નાગદા સેક્શન પર શરૂ થઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રેલવે સેફ્ટી કમિશનરને મોકલવામાં આવશે. સુરક્ષા કમિશનર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અન્ય નવા રૂટ પર દોડવાનું શરૂ કરશે. નવી ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવી શકાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ટ્રેનોમાં મુસાફરીને સુરક્ષિત અને વધુ આરામદાયક બનાવવા માટે ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ હશે. આ ટ્રેનોની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની છે. ICF એ ઓગસ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનો બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
લાઇટર કોચ ધરાવતી અગાઉની ટ્રેનોની સરખામણીમાં નવી ટ્રેનોમાં મુસાફરી વધુ આરામદાયક રહેશે. કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા છે. ઘટેલા વજનને કારણે, મુસાફરો વધુ ઝડપે પણ વધુ આરામદાયક અનુભવશે. આ ઉપરાંત, આ નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે. તેની બારીઓ પહોળી છે. વસ્તુઓ સ્ટોર કરવા માટે વધુ જગ્યા પણ છે. સૂત્રોનું કહેવું છે કે ટ્રેનના અમુક ભાગોને બાદ કરતાં મોટાભાગના ભાગો ‘મેડ ઇન ઇન્ડિયા’ છે.
મુસાફરોની સલામતી માટે તમામ નવી ટ્રેનોમાં ‘કવચ’ ટેક્નોલોજી લગાવવામાં આવી રહી છે જેથી તે જ ટ્રેક પર બીજી ટ્રેન આવે તો ઓટોમેટિક બ્રેક લગાવી શકાય. ટ્રેનની ટેસ્ટ સ્પીડ 180 kmph છે, જ્યારે મહત્તમ સ્પીડ લિમિટ 160 kmph છે. હાલમાં બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. એક નવી દિલ્હી-વારાણસી અને બીજી નવી દિલ્હી-વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલે છે.