રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાત્રી કર્ફયુનો સમય ઘટાડવા તથા લગ્ન પ્રસંગો કે અન્ય કાર્યોમાં માણસોની મર્યાદા વધારવા બાબત રાજય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. રાજયમાં રાત્રી કર્ફયુનો સમય રાત્રીના 10.00 થી સવારના 6.00 સુધીનો કરાયેલ છે.જેના કારણે વેપાર- ઉદ્યોગોકારોને ખુબજ મુશ્કેલીઓ પડી રહ્યો છે. અને આર્થિક નુકશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર હોવાનું ગર્વ તો લે છે પરંતુ ઉદ્યોગના હિતમાં આવી કોઈ સબળ રજૂઆતો ન થતી હોવાથી વેપારીઓમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંલગ્ન એસોશિયેશન પ્રત્યે ખૂબ નારાજગી વ્યાપી રહી છે. મંદીના આ મહાદૌરમાં ઉદ્યોગો માટે સંગઠનોએ આક્રમક રીતે આગળ આવવું જરૂરી છે. વેપારી આલમમાં તેમના સંગઠનો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સમગ્ર વેપાર ઉદ્યોગ આલમ તથા લોક લાગણીને ધ્યાનમાં રાખીઆ અંગે સત્વરે ઘટતું કરવા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, 3 શીફટમાં ચાલતા ઉદ્યોગોમાં કર્મચારીઓ કે મજુરોને અવર-જવર કરવામાં પણ હાલાકી પડી રહી છે.તેથી રાત્રી કરફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાના બદલે 11 થી સવારે 6 સુધી કરવો ખાસ જરૂરી છે, જેથી વેપાર-ધંધાઓ વેગ પકડે અને આર્થિક મંદીમાંથી બહાર આવે.રજૂઆતમાં એમ પણ જણાવાયું છે કે, ફોરવ્હીલમાં સીંગલ વ્યકિત માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ તેમાં કોઈ પણ જાતનું કોરોના સંક્રમણ ફેલાવાની શકયતા રહેતી નથી.તેથી ફોરવ્હીલમાં સીંગલ વ્યકિતને માસ્ક પહેરવાનો નિયમ પણ સત્વરે રદ કરવો જોઈએ.
અર્થતંત્રની ગાડી ફરી પાટા પર આવે અને રાજયનો નાનામાં નાનો વ્યકિત પોતાની આજીવિકા સરળતાથી રળી શકે તે માટે આ નિયંત્રણો હટાવવા અતિ આવશ્યક છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, વગેરે રાજયમાં મહામારીનો પ્રકોપ ઘણો વધુ હોવા છતાં આ રાજયોએ રાત્રી કરફયુ પ્રસંગોમાં ઢીલ આપવા ઉપરાંત માણસોની મર્યાદિત ઉપસ્થિતિ જેવો નિયંત્રણો સંપૂર્ણ રીતે હટાવી લીધા છે.
વિકસીત યુરોપિયન દેશોએ તો માસ્ક,સોસિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયંત્રણો હટાવી દીધા છે. આમ પણ સધન રસીકરણની ઝુબેશથી મહામારીની ઘાતકતા ઓછી થઈ ગઈ છે અને લોકો પણ ગભરાટમાથી બહાર આવવા લાગ્યા છે. આવા સમયે નિયંત્રણો ચાલુ રાખી અર્થતંત્રને રૂંધવું અમારી દ્રષ્ટિએ અયોગ્ય છે.
રાજયમાથી તમામ પ્રકારના વેપાર ઉદ્યોગને મુકત પણે ચાલવા દેવા જોઈએ અને આમ પ્રજાને મહામારીના હાઉના તણાવ માંથી મુકત કરી દેવી જોઈએ લોકો કોઈપણ માનસિક તણાવ વગર હળવા મનથી રોજિંદી જીવન ક્રિયા માનવું છે.
અત્યારે હોટેલ, રેસ્ટોરન્ટ,કેટરર્સ, મંડપ કોન્ટ્રાકટર, ટુર ઓપરેટર્સ જેવા અસંખ્ય ધંધાઓ જોઈએ તેવા ચાલતા નથી.જેને કારણે બરોજગારીની સમસ્યા વિકરાળ બની રહી છે. આમ પણ મહામારીથી થતા મૃત્યુ કરતા આર્થિક સકડામણને કારણે આત્મહત્યાથી થતા મૃત્યુ વધારે હોય તેવું જણાય છે. તો આર્થિક પાયમાલ થી રાજયની પ્રજાને ઉગારવા મહામારી સંદર્ભના તમામ નિયંત્રણો સત્વરે હટાવી લેવા જોઈએ અને જાન્યુઆરી 2020ની પરિસ્થિતિ કાયમ કરવી જોઈએ તેવી અંતમાં માંગલી કરી છે. સુરતના ઔદ્યોગિક સંગઠનો વેપાર જગતચના હીતમાં આ સ્ટેન્ડ લઈને ક્યારે સરકાર સમક્ષ જાય છે એ જોવું રહ્યું.