જ્યારે આ નશાખોરોને પૂછવામાં આવે છે કે તમે નશો કેમ કરો છો, તમને એમાં શું મળે છે, તો તેમનો જવાબ હોય છે કે તમને કંઈ મળતું નથી, તેઓ થોડા સમય માટે પોતાની જાતને ભૂલી જાય છે. તો આવા એવું કેમ નથી સમજતાં કે તમે તમારી જાતને કેમ ભૂલી જવા માંગો છો, શું તમે તમારી જાતને પ્રેમ નથી કરતા. શું તમે તમારી જાતને પસંદ નથી કરતા? આપણા બધા ઋષિમુનિઓ અને આધ્યાત્મિક ગુરુઓ સદીઓથી કહેતા આવ્યા છે કે તમારી જાતને જાણો. તમારી જાતને જાણો અને તમે તમારી જાતને ભૂલી જવા માંગતા હોવ તે કેટલું મૂર્ખ છે.
વ્યસન એ એક એવું દળદળ છે કે જે તેમાં ડૂબી જાય છે. તે બસ ડૂબતો રહે છે. અને આ દળદળમાં ડૂબતી વખતે તે પોતાનું જ નહીં સમગ્ર પરિવારનું આખું જીવન બરબાદ કરે છે. જ્યારે પણ આપણે કોઈને નશો કરેલો જોઈએ છીએ ત્યારે તેને કહીએ છીએ કે માણસ, નશો છોડો, આ બહુ ખરાબ વાત છે. પણ મોટા ભાગનાનો જવાબ એ જ હોય છે કે શું કરીએ ભાઈ, છોડવા માંગીએ છીએ, પણ ઈચ્છા હોવા છતાં છોડી શકતા નથી. તેના વિના મન અશાંત થઈ જાય છે. મન પાગલ થઈ જાય છે. તો આવા લોકો માટે સુરત ડાયમંડ એસોશિએશનના સેક્રેટરી ગણેશ ઘેવરિયાની એક લાગણીસભર અપીલ ખાસ કરીને રક્ષાબંધન નિમિત્તે વાયરલ થઈ રહી છે. ચોક્કસ જ આ વડીલનો પ્રયાસ સમાજને એક નવી દિશા પ્રેરતો સાબિત થાય તેમ છે. લોકો આ મેસેજને શાંતિપૂર્વક સાંભળે, સમજે અને લોકો સુધી પહોંચાડે એ આજના સમયની જરૂરિયાત છે.
સૌરાષ્ટ્ર સેવા સમાજ સુરત વતી સમાજના એક વડીલ આગેવાન અને સુરત ડાયમંડ એસોશિએશનના સેક્રેટરી ગણેશ ઘેવરિયાએ રક્ષાબંધન નિમિત્તે એક વિડીયો મેસેજ જાહેર કરતાં જણાવ્યું છે કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. તે નિમિત્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત જાહેર અપીલ કરે છે કે, ભાઈને રાખડી બાંધ્યા પછી દરેક બહેન જો ભાઈને કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો તે છોડવા માટેનું વચન માંગવાનું છે. બીડી, સિગરેટ, પાન, ગુટખા, તમાકુ, દારૂ કે કોકેન વગેરે જેવા વ્યસનોના દુષણ ચારેતરફ વધી ગયા છે. તેના પરિણામે આર્થિક નુકશાન તો છે ઉપરાંત જીવનું પણ જોખમ મંડરાય જ છે. કેન્સર જેવા ભયંકર રોગોને પગલે અસંખ્ય પરિવારો નિરાધાર થયા છે. કેન્સરની સારવારમાં પરિવાર આર્થિક બોજામાં પાયમાલ થઈ જતાં હોય છે.
આ કારણોસર રક્ષાબંધનના પાવન અવસરે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત વ્યસન છોડવા જાહેર અપીલ કરે છે. જો ભાઈ બહેન પ્રત્યે લાગણી ધરાવતો હોય અને રાખડીના બદલે બહેન માંગે એ આપવા સંકલ્પબદ્ધ હોય તો રક્ષાબંધનના દિવસે બહેને ભાઈના રક્ષણ માટે વ્યસન છોડવાનું વચન માંગવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સાથે 200થી વધુ સેવાભાવી સંસ્થાઓ જોડાયેલી છે. આ તમામ સંસ્થાઓને પણ વિનંતી કરવામાં આવી છે કે જેટલો બની શકે આ મેસેજનો ફેલાવો કરો. ભાઈને આર્થિક તકલીફો અને ભયંકર રોગમાંથી ઉગારવા આ એક તક છે જેમાં લાગણી સમાયેલી છે. ગણેશભાઈએ દરેક ભાઈબહેનને હ્રદયપૂર્વક વિનંતી કરી છે કે, રક્ષાબંધનનું આ પવિત્ર પર્વ યાદગાર રીતે ઉજવવું જોઈએ અને તેમાં દો વ્યસન છોડવાનો સંકલ્પ થાય તો બેશક આ રક્ષાબંધન જેવી જીવનમાં કોઈ અન્ય યાદગીરી નથી