જ્યોતિષમાં દેવગુરુ ગુરુને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની સ્થિતિમાં પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. 29 જુલાઈના રોજ દેવગુરુ ગુરુ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે અને 24 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ અને ઉચ્ચ હોય તો વ્યક્તિ મંજિલ સુધી પહોંચી શકે છે. જાણો કઇ રાશિ માટે ગુરુ ગ્રહની વક્રી ગતિ ફાયદાકારક સાબિત થશે.
કર્કઃ- કર્ક રાશિના જાતકોને ગુરુ ગ્રહના વક્રી સમયગાળામાં નોકરીની નવી તકો મળી શકે છે. નાણાંકીય લાભની પ્રબળ તકો રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આ સમય વેપારીઓ માટે વરદાનથી ઓછો નથી. તમે પૈસા બચાવવામાં સફળ થશો.
મકરઃ– મકર રાશિના લોકોને કમાણીનાં અન્ય માધ્યમો મળશે. પરિવારના કોઈ સભ્યની મદદથી ધનલાભ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત થશે. કરિયરમાં ઉન્નતિ માટે આ સમય સાનુકૂળ રહેશે.
સિંહઃ- સિંહ રાશિના જાતકોને આ સમયગાળામાં અચાનક નાણાંકીય લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. યાત્રા થશે. વેપારીઓ પોતાની મરજીથી નફો કમાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ રહેશે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. આ સમય દરમિયાન તમને નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. રોકાણ લાભદાયક રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.