દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે (10 જુલાઈ)ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,28,690 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ ત્રણ હજાર વધુ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન 42 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,5,428 લોકોના મોત થયા છે.
જો વાત ગુજરાતની કરવામાં આવે તો, અહીં પણ કેસોમાં ધીમો છતાંય સતત વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. શનિવારે રાત સુધીમાં નવા 668 કેસોનો ઉમેરો થયો છે. આ સાથે એક્ટિલ કેસોની સંખ્યા 4100 સુધી પહોંચી ચૂકી છે. ગુજરાતમાં મૃત્યુનું પ્રમાણ નહીવત્ હોવાથી રાહત છે. વેક્સિનેશન બાબતની જાગૃતિને કારણે તથાકથિત ચોથી લહેર ઓછી ઘાતક સાબિત થઈ રહી છે.