દોઢ દાયકાથી લોકોના દિલ પર રાજ કરતાં ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એકએક પાત્ર પોતાની છાપ ધરાવે છે. આબાલવૃદ્ધ સૌ માટે એવા જ લોકપ્રિય પાત્ર નટુકાકાનું 3 ઓકટોબર 2021માં નિધન થયા બાદ તેમની જગ્યા ખાલી હતી. નટુકાકાના પાત્રને પોતાની આગવી અદાકારીથી સ્વ. ઘનશ્યામ નાયકે ભારે લોકપ્રિય બનાવ્યું હતું. નટુકાકાના રિપ્લેશમેન્ટમાં કોણ તેની લાંબી પળોજણ બાદ આ પાત્ર માટે રંગભૂમિના કલાકાર કિરણ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. લોકો નવા નટુકાકાને પણ એટલો જ પ્રેમ આપશે એવો દાવો રંગમંચના જાણીતા કલાકારો કરી રહ્યા છે.
સૌથી મજાની વાત એ છે કે નવા નટુકાકા ઉર્ફે કિરણ ભટ્ટની જૂના નટુકાકા સ્વ. ઘનશ્યામ નાયકના વર્ષો જૂના મિત્ર જ હતા. બંને વર્ષો સુધી રંગભૂમિમાં સાથે રહ્યા હતા. કિરણ ભટ્ટે પોતાની પસંદગી આ સિરીયલ માટે થયા બાદ જણાવ્યું હતું કે જૂના નટુકાકા નવા નટુકાકાને લાવ્યા છે. મને એ વાતની ખુબ ખુશી છે કે મારા પ્રિય મિત્રે જે રોલ ભજવ્યો હતો તે ભજવવાનો મોકો મને મળ્યો. લોકપ્રિય આ ટીવી શોના પ્રોડયુસર અસીતકુમાર મોદીએ નવા નટુકાકાને આવકારતા જણાવ્યું હતું કે અમને આ શો દ્વારા 2008ના વર્ષથી લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. શોના નિર્માતા, અસિત મોદીએ તાજેતરમાં એક પ્રોમો વિડિયો શેર કર્યો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા નટુ કાકાને રજૂ કર્યો છે
અસિત મોદીએ જણાવ્યું કે, તેમણે નટુ કાકાની શોધમાં ઘણા મહિનાઓ વિતાવ્યા. આ રોલ માટે ઘણા લોકોએ ઓડિશન પણ લીધું હતું. જે પછી તેને નટુ કાકા તરીકે કિરણ ભટ્ટ મળ્યા. જે પાત્ર સાથે સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. આવી સ્થિતિમાં, દરેકને આશા છે કે દર્શકોએ અભિનેતા ઘનશ્યામ નાયકને નટુ કાકા જેટલો પ્રેમ આપ્યો છે. તે હવે કિરણ ભટ્ટને પણ એટલો જ પ્રેમ આપશે.