કાશ્મીરમાં હિંદુઓની હત્યાઓમાં ચિંતાજનક વધારો વચ્ચે, સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો આદેશ આપ્યો. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કાશ્મીરી પંડિત સમુદાય અને સ્થળાંતર કામદારોને નિશાન બનાવીને થયેલા હુમલાને પગલે ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે અશાંત કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક બાદ કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો આદેશ આવ્યો છે.
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં 12 મેેએ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટની હત્યા બાદ વડાપ્રધાનના વિશેષ પેકેજ હેઠળ કામ કરી રહેલા કાશ્મીરી પંડિતો સ્તબ્ધ થઈ ગયા છે. તેઓ વિરોધ કરી રહ્યા છે, સામૂહિક હિજરતની ધમકી આપી રહ્યા છે. ભાટની હત્યા બાદ, વિવિધ સ્થળોએ લગભગ 6,000 કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેઓએ તેમની ખીણની બહાર ટ્રાન્સફરની માંગ કરી.
ગુરુવારે, કાશ્મીરમાં બે લોકો (એક બેંક કર્મચારી અને એક ઈંટ ભઠ્ઠામાં કામદાર) મૃત્યુ પામ્યા. ઉલ્લેખનીય છે કે, 1 મેથી બેંક મેનેજર આતંકવાદીઓનો આઠમો અને કાશ્મીરમાં નવમો શિકાર હતો.
જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લાની એક મહિલા શિક્ષિકાની મંગળવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક શાળામાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18 મેના રોજ, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં દારૂની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં જમ્મુ ક્ષેત્રના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરીની 24 મેએ શ્રીનગરમાં તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જ્યારે ટેલિવિઝન કલાકાર અમરીન ભટની બે દિવસ પછી બડગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.