પાકિસ્તાનમાં એક બેકાબૂ ટોળાએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને ઇશ્વરનિંદાના આરોપી એક વ્યક્તિને મારી નાખ્યો. ઘટના નનકાના સાહિબ પોલીસ સ્ટેશનની છે. પોલીસ અધિકારી મોહમ્મદ વકાસના જણાવ્યા અનુસાર, પવિત્ર કુરાનનું કથિત અપમાન કરવા બદલ શનિવારે મોહમ્મદ વારિસ નામના એક વ્યક્તિને ટોળાએ માર માર્યો હતો.
માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પછી પણ ટોળું શાંત ન થયું. નાનકાના સાહિબ શહેરમાં આવેલા પોલીસ સ્ટેશનમાં બેકાબૂ ટોળાં ઘૂસી ગયા, વારિસને બહાર કાઢ્યો અને તેને માર માર્યો. હત્યા બાદ તેણે લાશને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ઈશનિંદાના ઘણા મામલા સામે આવ્યા છે. મોટાભાગના કેસોમાં ટોળું કાયદા સાથે રમતું જોવા મળે છે. 2021માં શ્રીલંકાના મૂળના ગાર્મેન્ટ ફેક્ટરીના મેનેજરની હત્યા સહિત અનેક લોકોને માર મારવામાં આવ્યા છે.