મોદી સરનેમ પર કોમેન્ટ કર્યા બાદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં સજા ફટકારી. જેના બાદ તેમણે સંસદ સભ્ય પદ ગુમાવ્યું છે. હવે તા. 3 એપ્રિલ સોમવારે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લિગલ ટીમ સુરતની સેસન્સ કોર્ટમાં અપીલ કરશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી મોદી અટક માનહાનિ કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ અગાઉ કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ અણછાજતી કોમેન્ટ કરી હતી. આ બાબતે સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
ચાર વર્ષ પહેલા મોદી સરનેમ પર કોમેન્ટ અંગે રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકારતાંની સાથે જ રાહુલ ગાંધીએ સંસદસભ્યનું પદ ખોવાનો વારો આવ્યો છે.