22 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ઉપાસનાના આ તહેવારમાં, ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પ્રિય વસ્તુઓને લગતા ઉપાય કરવામાં આવે તો મા દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ઈચ્છિત ફળ આપે છે. આજે અમે તમને પાનના ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ. નવરાત્રિ દરમિયાન માતાજીને અતિપ્રિય એવા પાન સાથે કેટલાક ઉપાય કરવાથી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાયો શું છે.
નવરાત્રિના પહેલા 5 દિવસોમાં દરરોજ એક પાન પર ચંદન વડે મા દુર્ગાનો બીજ મંત્ર ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे લખો અને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો. નવમીના દિવસે આ તમામ પાનને એકત્ર કરીને લાલ કપડામાં બાંધીને તમારા ધનની જગ્યાએ રાખો. આમ કરવાથી ટુંક સમયમાં જ તમારી આર્થિક તંગી દૂર થઈ જશે.
નવરાત્રિની પૂજા દરમિયાન મા દુર્ગાની સામે દરરોજ એક પાન સાથે ગુલાબની પાંખડીઓ ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનું આગમન વધે છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. નવરાત્રિના 9 દિવસ પછી 9 પાનને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. મા દુર્ગા જલ્દી તમારા પર પ્રસન્ન થશે.
નવરાત્રિની પૂજામાં એલચી અને લવિંગયુક્ત પાન બનાવીને મા દુર્ગાના ચરણોમાં અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે છે. જો તમે લાંબા સમય સુધી બેંકની લોન ચૂકવવામાં અસમર્થ છો, તો આ ઉપાય કરવાથી તમારી આવક વધે છે અને ટૂંક સમયમાં તમને દેવામાંથી મુક્તિ મળે છે.
નોકરી અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આ પાનનો ઉપાય તમને સારું પરિણામ આપી શકે છે. નવરાત્રિ દરમિયાન સતત નવ દિવસ સુધી પાનની બંને બાજુ સરસવનું તેલ લગાવો અને મા દુર્ગાને અર્પણ કરો અને રાત્રે આ પાનને માથા પર રાખીને સૂઈ જાઓ. આ ઉપાય નોકરી અને બિઝનેસમાં ચોક્કસ સફળતા અપાવશે.
નવરાત્રિના 9 દિવસોમાં આવતા મંગળવાર અને શનિવારના દિવસે, પાનની લીસી બાજુ પર સિંદૂરથી જય શ્રી રામ લખો અને મંદિરમાં જાઓ અને તેને હનુમાનજીના હાથ પર રાખો. આ ઉપાય કરવાથી તમારા જીવન સાથે જોડાયેલી તમામ પ્રકારની વૈવાહિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. ભૂલથી પણ હનુમાનજીના ચરણોમાં આ પાન ન ચઢાવશો.